________________
૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109
૪૫૫
બાપને ભૂંડ તથા સાપણ જેવાં પણ કહ્યાં છે. તમે શામાંના છો એ નક્કી કરો ! આજનાં શ્રાવક-શ્રાવિકા જો સાધુ-સાધ્વીના સાચાં મા-બાપ થાય તો તો મને બહું આનંદ થાય. જેમ વ્યવહારમાં મળમૂત્ર સાફ કરવાથી માંડીને બાળકની તમામ ફીકર ઠેઠ સુધી કર્યા કરે એ મા-બાપ છે. એવાં મા-બાપ જો શ્રાવકશ્રાવિકા બને તો તો અમારે બધી પંચાત જ મટી જાય. પછી આ બોલવું પડે છે તે ન બોલું. વ્યાખ્યાન પણ ધીમે જ વાંચું. આ તો તમારું કામ મારે કરવું પડે છે. તમે મા-બાપ બનો તો હું નારાજ઼ નથી. શાસ્ત્ર કહે છે શ્રાવક-શ્રાવિકા મા-બાપ છે, માટે એ સ્વીકાર્ય છે પણ મા-બાપ બનો તો !
મા-બાપની ફરજ
1643
જો તમે મા-બાપ બનો તો પછી તમારી સલાહ વિના એક કદમ હું ન ભરું. સભાઃ ‘મા-બાપ શી રીતે બનાય ?’
એ માટે વ્યવહારમાં જુઓ. દીકરાના મનોરથ પાર પાડવા મા-બાપના પ્રયત્ન હોય. પોતાનો દીકરો સો ગુણો શ્રીમાન બને એમ મા-બાપ ઇચ્છે. પુણ્યોદયે પોતાના દીકરાને જે મળ્યું હોય તે વધે એવી પ્રવૃત્તિ મા-બાપ કરે. દીકરો માંદો પડે તો મા-બાપ પોતાના બંગલા પણ તારાજ ક૨વા તૈયા૨ થઈ જાય. દીકરાની માંદગીના ખબર આવતાં પહેલી ટ્રેનમાં દોડે, ડૉક્ટર અને સર્જન બોલાવવા પડે, હજારોની ફી ખર્ચવી પડે, આ બધું કરવું પડે ને ? એ જ રીતે બધું સાધુ માટે પણ સમજી લો. દીકરો કદી ખોટનો વેપાર કરી આવે તો મા-બાપથી દાંતિયા ન કરાય. પણ બાજી સુધારી લેવાય. દીકરો કદી માર્ગમાં ગબડી જાય તો તરત ઊભો કરી દેવાય પણ ઉપ૨થી માર ન મરાય. વ્યવહારની આ બધી રીત.તો તમે જાણો છો ને ? એ જ રીતે શ્રાવકો સાધુનાં મા-બાપ બને અને એમની તમામ ચિંતા કરે.
પૂર્વના શ્રાવકો
પૂર્વે એવા શ્રાવકો હતા, જે સાધુની તમામ ચિંતા કરતા હતા. ‘ઇચ્છકાર’માં પહેલા બે પ્રશ્નો પૂછવાની અને પછી ભાતપાણીના લાભની વિનંતી કરવાની વિધિ એ માટે જ છે ને ?
૧. ‘સુખત૫શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહો છો જી ?' સ્વામી શાતા છે જી ?’
૨.
૩. ‘ભાતપાણીનો લાભ દેજોજી.'
ત્યાં સંયમયાત્રાનો પ્રશ્ન પહેલો છે. એમાં વિઘ્ન હોય તો શ્રાવક બધી