SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ 1637 - ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 - ૪૪૯ આપણી નાતમાં ભળે એવો છે. એને સાધુપણાનું ભાન નથી.” આ તો કહે છે કે, “એ ભલેને હાથ ન જોડે, હું તો એ બધાને જોડવા તૈયાર છું ને ?' આવાને શું સમજાવવું ? ધર્મ લેવા આવનારની કસોટી કઈ ? અનાથી મુનિએ તો શ્રેણિક રાજાને કહ્યું કે, “રાજન્ ! તું મને રખડતો ન માન. મારે પણ તારા જેવો જ પિતા હતો. મારે ઘેર પણ રિદ્ધિસિદ્ધિનો પાર ન હતો; પણ મેં જોયું કે કર્મજન્ય આપત્તિમાં કોઈ રક્ષક નથી. માત્ર રક્ષક હોય તો એક શ્રી વીતરાગ દેવ જ છે. એમની આજ્ઞાના પાલનમાં જ આત્માનું રક્ષણ છે. એ માટે જ બધાને મૂકીને અહીં આવ્યો છું. એટલે હવે અનાથ મટી સનાથ બન્યો છું.” શાસ્ત્ર કહે છે કે આ સાંભળી રાજા શ્રેણિક સમ્યકત્વ પામ્યા. નવા આગંતુકની કસોટી આ રીતે થાય. ત્યાં શરૂમાં એને હળવી ચોંટ લાગે એવો ઉકળાટ બતાવવો જોઈએ. વૈદ્ય પણ દર્દીની કસોટી કડવા ઉકાળા અને કઠિન પરેજીની વાતથી જ કરે. મીઠી મીઠી વાતો તો લોભિયા કરે. સારા વૈદ્યની એ ખ્યાતિ કે શરૂમાં તો એ મગના પાણી પર જ રાખશે, અરે કદાચ બે-ચાર ઉપવાસ પણ કરાવશે. ધર્મ લેવા નવા આવનાર માટે પણ કસોટી એ કે એને પહેલાં જ સંસારની ભયંકરતા બતાવાય. • શ્રીમંતાઈના ઘમંડનો મીણો પહેલાં ઉતારવો પડેઃ * લક્ષ્મીના મદમાં ઉન્મત્ત બનેલા પણ અમારી પાસે આવ્યા છે અને આવે છે. એ એની ખુમારીમાં અહીં આવી અમને કહે કે, “જુઓ મહારાજ ! આ સ્વતંત્રતાનો યુગ છે. અમારા સ્વતંત્ર વિચારો પ્રગટ કરવા અમે હકદાર છીએ. આ તો વીસમી સદી છે. વિજ્ઞાનવાદનો જમાનો છે. એ ન્યાયે અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ. તમારી અઢારમી સદીની રીત અહીં નહિ ચાલે, માટે સમજીને વાત કરજ્જો.” ત્યારે હું પણ એને પહેલાં જ કહી દઉં કે, “ભાઈ ! મારી વાત પણ સાંભળી લે. તું સ્વતંત્ર છે તો અમે પણ સ્વતંત્ર છીએ અને ગમે તેવા લક્ષ્મીવાનને પણ અમારી પગની પાનીએ બેસાડીએ છીએ. શ્રીમંતોના ઘમંડને તો અમે ઠોકર મારીએ છીએ. લક્ષ્મીને લાત મારીને તો અમે અહીં આવ્યા છીએ માટે તું પણ એ બધું સમજીને અહીં વાત કરજે.” આ સાંભળે એટલે એ ધીમો પડે ને પછી કહે કે, “ના, ના, સાહેબ, મારું કહેવાનો આશય એવો નથી.” આટલી ચકમક ઝર્યા પછી બીજી જ મિનિટથી વાત મઝથી ચાલે. કોદરાની કોદરી બનાવતાં એનો મીણો ઉતારવો પડે તેમ શ્રીમંતાઈના ઘમંડનો કે એની ઉશૃંખલતાનો પણ મીણો ઉતારવો પડે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy