________________
1635 – ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 – ૪૪૭ અનાથી મુનિ અને રાજા શ્રેણિકઃ
અનાથી મુનિને જોઈને શ્રેણિક મહારાજાએ વિચાર્યું કે, “આવી ભરયુવાન વયે આવો તપ આણે આદર્યો ? તો નક્કી એ બિચારાને સુખ-સામગ્રી નહિ મળી હોય. એટલે રાજા મુનિને આશ્વાસન આપવા જાય છે અને કહે છે કે, “અરે યુવાન ! આ વયમાં આવું કષ્ટ શા માટે ? તારો કોઈ નાથ ન હોય તો હું તારો નાથ થાઉ પણ તું આ કષ્ટ છોડી દે.” આ સાંભળી મુનિ હસે છે. એ જોઈને રાજા આશ્ચર્ય પામી મુનિને હસવાનું કારણ પૂછે છે. મુનિ રાજાને કહે છે કે, “નાથ વિનાનો તું મારો નાથ બનવા આવ્યો છે તો રાજન ! પહેલાં તું તો નાથવાળો બન !' મગધ દેશના માલિકને આવું કોણ કહે ? સાધુના પણ શેઠ બનવાની ભાવના ન રાખોઃ
વાણિયાની પાઘડીમાં મોહાઈ જનારા શ્રી જિનેશ્વરદેવના સાધુ ન હોય. ફલાણા ભાઈશ્રી અહીં આવે તો મારા અનુયાયીઓ વધારે” એમ જૈન સાધુ માને ? જે પોતે જ પાઘડીમાં મૂંઝાયા છે તે એ સાધુની માન્યતાવાળા શી રીતે વધારશે ? મગધ દેશનો માલિક નાથ બનીને બધી સામગ્રી આપવા આવે ત્યારે આવું સ્પષ્ટ તે જ કહે કે, જેને રોમેરોમ જિનશાસન પરિણમ્યું હોય. રાજા શ્રેણિક વિચારે છે કે હું માણસ ઓળખવામાં ભૂલ્યો છું. આ રાજા ગુણાનુરાગી હતો. આજના શેઠિયાઓ તો સાધુને કહી દે કે, મહારાજ ! ઉપાશ્રયે આવવાનો અમને ટાઇમ નથી.” એવાને તો સાધુએ પણ કહી દેવું જોઈએ કે તારા માટે ઉપાશ્રયમાં જગ્યા પણ નથી. અહીં કોઈ શેઠિયો આવે એનું ઔચિત્ય ગૃહસ્થો જાળવે અને એને. આગળ બેસાડે એ વાત જુદી પણ એનાથી શેઠ બનવાની ભાવનાએ અહીં ન અવાય. સાધુના પણ શેઠ બનવાની ભાવના હોય ? ઠીક છે, અટક તરીકે શેઠ કહેવામાં વાંધો નથી. શેઠાઈ બહાર મૂકીને મંદિર-ઉપાશ્રયમાં આવો
આજના કેટલાક શેઠિયાઓ તો એવા છે કે એ મંદિરમાં આવે ત્યારે પૂજારીએ એની તહેનાતમાં રહેવું પડે. પેલો શેઠિયો હુકમ કરતો કરતો જ આવે. કેસરની વાડકી એને તૈયાર જોઈએ. ઝપાટાબંધ નવ અંગે તિલક કર્યા ન કર્યા અને પંજાબ મેઈલથી ઝડપે પાછો ભાગે. આવાની પૂજા વગર ભગવાનને કાંઈ ઊણપ રહેવાની હતી ? અસંખ્યાત દેવોના સ્વામી ઇંદ્રો પણ પ્રભુની ભક્તિ જાતે કરે છે. એ માને છે કે ત્યાં કાંઈ હુકમ કરવાના ન હોય. દેવ પાસે જે આવો વર્તાવ રાખે કે ગુરુ પાસે કેવો રાખે ? બજારમાં પણ એમનો રૂવાબ કેવો ? એ