________________
1es૩ – ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 - ૪૪૫ તરવું હોય તો આવો, અમારા જેવા થવું હોય તો આવો પણ અમને તમારા જેવા બનાવવા આવતા જ નહિ. ટોળું વધારવામાં આ શાસને ઉદય માન્યો જ નથી. બીજા તીર્થંકરદેવો સાથે આટલા દીક્ષિત થયા અને પોતે એકલા જ કેમ ? એ વિચાર ભગવાન શ્રી મહાવીરદેવે ન કર્યો. અર્થકામની વાતો સાધુ પાસે ન થાય ?
પૂજ્ય વસ્તુ માની ત્યાં ભલે કાળના પ્રમાણમાં જોવાય પણ જોવાય તો બધું જ. ત્યાં પોલ ન ચાલે. માટે તો મંદિર ઉપાશ્રયમાં પ્રવેશતાં પહેલાં “નિરિસહી” કહેવાનું વિધાન રાખ્યું. “નિસ્નેિહી' એટલે બહારની સંસારની વાતોનો નિષેધ, પછી સાધુ પાસે અર્થક્રમની વાતો થાય ? અર્થકામની વાતો કે બેકારી ટાળવાના ઉપાયો તમારાથી અમને ન પુછાય. ઉપાશ્રયમાં આવી સાધુને તેજી મંદી પુછાય? સાધુથી એવું કહેવાય ? આ બધું નક્કી કરવું પડશે. ઉપકારની ભાવનાથી ઉપાશ્રયમાં ચૂલો સળગાવાય ? કે ઘર માંડીને રહેવાય ? કદી આપતું કાળમાં પાંચ-પચીસ માણસોને રક્ષા માટે ત્યાં સ્થાન આપ્યું હોય માટે કાયમ ખાતે એનો દાખલો ન લેવાય. ભાવના સાચી ક્યારે ? -
સારી ભાવના વાંઝણી ન જોઈએ. કૃપણનો કાકો બે કરોડ પાસે હોય છતાં કહ્યા કરે કે, “મારી સંઘ કાઢવાની બહુ ભાવના છે', પણ પચીસ વર્ષ વીતે તોય ભાવના એની વાતમાં જ રહે. પરંતુ એક પાઈ પણ તે ખાતે કાઢે નહિ તો એ ભાવના કહેવાય કે ભાવનાની મશ્કરી કહેવાય ? સમય આવે ત્યારે જે સામગ્રી હોય તેનો ઉપયોગ થાય તો ભાવના સાચી, એ ન થાય તો ભાવના ખોટી. ઉદયન રાજર્ષિને ભાવના જાગી કે “ધન્ય છે તેમને કે જેમણે બાલ્યવયમાં સંયમ ગ્રહણ કર્યું. ભગવાન શ્રી મહાવીરદેવ જો અહીં પધારે તો હું પણ તે પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરું.” રાત્રે આ ભાવના કરી ને સવારે સમાચાર મળ્યા કે ભગવાન શ્રી મહાવીરદેવ ઉદ્યાનમાં સમોસર્યા છે. તરત જ ત્યાં પહોંચ્યા. ભગવાનને વંદના કરી મુગટ ઉતાર્યો અને પોતાની ભાવના સફળ કરી. આ ભાવના સાચી કહેવાય. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિઃ
ભાવના, પરિણામ અને પ્રવૃત્તિમાં અંતર છે. છતી ભાવનાએ પરિણામ ન થાય એ બને. છતે પરિણામે પણ પ્રવૃત્તિ ન થાય એ પણ બને. પરંતુ સમય આવ્યા છતાં જે પ્રવૃત્તિ ન કરી શકે, જેને પરિણામ ન આવે ત્યારે એની આંખમાં પાણી તો આવે ને? ત્યારે એ પોતે જ કહે કે, મારી ભાવના જ ખોટી