________________
૪૪૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
– 1632 સાધર્મિક વધુ ધર્મી ત્યાં પ્રભુ જોઈએ. સુપાત્રની ભક્તિમાં બધું જોવું જોઈએ. ત્યાં પોલ ન ચલાવાય. સુપાત્રમાં વિવેક હોવો જોઈએ:
શાસ્ત્ર સાધુની ભક્તિ ખૂબ કરવાનું કહ્યું, પણ સાધુની, વેષધારીની નહિ. દેવભક્તિની વાત આવી ત્યાં શાસ્ત્ર કહ્યું કે, દેવ તે કે જે અરિહંત હોય, વીતરાગ હોય, અઢારે દોષથી રહિત હોય. બધા દેવની ભક્તિ ન કરાય. ગુરુભક્તિમાં પણ એ જ ન્યાય કે સાધુની ભક્તિ થાય. પણ વેષધારીની નહિ. સુપાત્રમાં વિવેક હોવો જોઈએ. જો દેવના નામે કુદેવ, ગુરુના નામે કુગુરુ અને ધર્મના નામે કુધર્મ સેવાય તો સમ્યકત્વ પુસ્તકમાં રહે ને મિથ્યાત્વ હૈયામાં આવે. સમ્યગુદૃષ્ટિ જ્યાં ભક્તિ કરે ત્યાં વિવેકપૂર્વક જોઈને કરે. અનુકંપામાં ગમે ત્યાં અપાય, વ્યવહારમાં રહ્યો છે તો અયોગ્ય છતાં પાંચ સારા ગૃહસ્થ આવે તો દુનિયાની કાર્યવાહીમાં પણ આપવું પડે તે વાત જુદી, કેમ કે ત્યાં લાચારી છે. દુનિયામાં રહેવું અને દુનિયા સહાય કરતી હોય ને પોતે ન કરે તો નભી ન શકે. અનુકંપામાં પચાસ ભિખારી આવ્યા, હવે એમાં સારો ખોટો ઓળખવા ક્યાં જવાય ? પણ ભક્તિ જ્યાં ત્યાં ન થાય. વ્યવહારમાં હાથ બધાની સાથે મિલાવાય, પણ સલામ તો અમુકને જ થાય. હાથ પણ સરખે સરખાની સાથે મિલાવાય, અધમની સાથે નહિ. અધમની તો સલામ ઝિલાય, એને સલામ કરાય નહિ. દુનિયાના વ્યવહારના આ બધા કાયદા છે તો ધર્મ માટે કાયદો જ નહિ ? ભક્તિ ગમે ત્યાં કરવાની એ ચાલે ? સુપાત્રમાં વિવેક ભૂલ્યા તો હારી ગયા ?
દુઃખી તરીકે કોઈને અપાય એ વાત જુદી પણ શ્રાવક તરીકે આપવું હોય તે તો હાથ જોડીને જ અપાય ને ? ભલે પાઈ અપાય પણ એની રીતે જ અપાય. પાઈ દેવા માટે નથી દેવાની પણ લેવા માટે દેવાની છે. જેની અષ્ટપ્રકારી પૂજા કરો તેને જોઈને ઊભા ન થવાય ? ગમે તેની મૂર્તિને દુનિયા દેવ કહે એટલે એની પૂજા કરવા મંડી પડાય ? હાથમાં તલવાર, ભાલો દેખાય ત્યાં પણ “પ્રશમરસ નિમગ્ન' બોલાય ? અમુક દેવોને ઉત્તમ જાતિનાં પુષ્પો નથી ચઢતાં. ચંદન, કેસર અને ઉત્તમ પુષ્પો વગેરે શ્રી વીતરાગદેવને જ વરેલાં છે, બાકી તો તેલ અને ગુલાલ, કેમ કે વસ્તુમાં ફરક છે. “સંસારથી તારો એમ કોને કહેવાય ? તરેલાને જ કહેવાય ને ? ગુરુને પણ ખમાસમણાં, ઇચ્છકાર, અભુઠ્ઠીઓ આદિ કરવાના પણ તે વેષધારીને હોય ? સુપાત્રમાં વિવેક ભૂલ્યા તો હારી ગયા. તમારી દયાના યોગે આ દેવ ગુરુ ધર્મ જીવતા નથી. એ તો કહે છે કે