________________
1es – ૨૯ : મુનિની મર્દાનગી અને મોક્ષની પક્કડ - 109 - ૪૪૩ ધર્મક્રિયા પ્રેમથી ક્યારે થાય ?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂ૫ મેરૂની જીવદયા રૂપી કંદરા (ગુફા)નું વર્ણન કરે છે. જૈનશાસનમાં પ્રત્યેક વાતમાં જીવદયાને મહત્ત્વ અપાય છે. દયા વિના ધર્મની સાધના થઈ શકતી નથી. કોઈપણ ધર્મક્રિયા એવી ન હોય કે જેમાં અહિંસક ભાવને ટક્કર લાગે. એ અહિંસક ભાવ, એ દયાના પરિણામ સાચી રીતે ત્યારે જ ટકે કે જ્યારે પોતાના આત્માની દયા જાગે, પોતાનો આત્મા હણાઈ રહ્યો છે એ ન સમજાય ત્યાં સુધી કોઈ પણ ધર્મક્રિયા વાસ્તવિક રીતે થઈ શકતી નથી. ધર્મ મુક્તિ માટે છે પણ દુનિયાના કોઈ પદાર્થ માટે નથી. દુનિયાની કોઈ ચીજ શાંતિ આપી શકતી નથી, પણ આધિ, વ્યાધિ, ઉપાધિ કરનારી છે. જે સુખરૂપે દેખાય છે, તે પણ પરિણામે ભયંકર છે. માટે દુનિયાના પદાર્થની પ્રાપ્તિ માટે ધર્મ નથી. જેનાથી છૂટવા માટે ધર્મ છે એ જડના સંસર્ગથી આત્મા રિબાય છે એમ જ્યારે આત્મા માને ત્યારે જ ધર્મક્રિયા પ્રેમથી થાય. સુપાત્રદાનમાં ભક્તિ છે• | નાના કે મોટા દરેક અનુષ્ઠાનમાં જીવદયાની પ્રધાનતા બેઠી છે. માટે તો સુપાત્રદાન અને અનુકંપાદાન અલગ કરવાં પડ્યાં. અનુકંપાદાન અપાત્ર કે કુપાત્રમાં જ થાય. કુપાત્રની કોઈ પણ કાર્યવાહીનું અનુમોદન થાય તો તો લેવાના દેવા થાય. દુઃખીનું દુઃખ દૂર કરવાનો જ માત્ર ત્યાં વિચાર છે. સુપાત્રદાનમાં ભક્તિ છે. ત્યાં નક્કી કરવું પડે કે કયા ગુણને લઈને ભક્તિ કરવી. મુનિને દેખીને એક જ ભાવના આવે કે આ તારક છે. એના રૂપ, રંગ, શરીર, ક્રિયા, વિદ્વત્તા એ તમામની પ્રશંસા થાય, કેમ કે એ બધી ચીજો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન અને પ્રચારમાં જોડાયેલી છે. સાધર્મિક વાત્સલ્યમાં શ્રાવકને શા માટે જમાડો ? એ બંગલા-બગીચાવાળો છે માટે ? એ પાંચ-પાંચ દીકરાનો બાપ છે માટે ? એ બહોળા કુટુંબ-પરિવારવાળો છે માટે ? ના. મુનિની તો બધી ક્રિયા કેવળ મુક્તિ માટે છે પણ શ્રાવકની ભક્તિ કરાય ત્યાં કહેવું પડે કે, એ શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં શ્રદ્ધાળુ છે, પ્રભુભક્તિમાં રત છે, ધર્મ સાંભળવાનો રસિયો છે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો પાલક છે. ત્યાં લક્ષ્મીવાન તેમજ નિર્ધનની ભક્તિ સરખી રીતે થાય. પણ પંગત જુદી ન રખાય. મહેમાન તરીકે પોતાને ત્યાં આવે ત્યારે ગમે તેમ વર્તે પણ સાધર્મિક તરીકે આવે ત્યાં ભેદ નહિ. કોઈ રાજા મહારાજા કે કોઈ અમુક જાતિના આવે ત્યાં વાત જુદી, બાકી તો જે