SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ 153 – ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 - ૪૩૫ આપનાર મળે તો પચાસવાળાને પડતો મૂકી સો આપનારના પલ્લામાં બેસી જતાં એને વાર નહિ. આ દશા શાથી ? ધર્મહીન બન્યા અને દેવગુરુ ધર્મને ભૂલ્યા માટે. બાપ પહેલો કે પત્ની પહેલી ? જે દેવગુરુ ધર્મના ભક્ત ન હોય તે મા-બાપના ભક્ત ક્યાંથી હોય ? કદાચ એ ભક્ત દેખાતા હોય તો સ્વાર્થથી, પત્ની આવે કે તરત મા-બાપને આઘા કાઢે એવા. શ્રી જિનેશ્વરદેવના શાસનને માનનાર કદી એવું ન કરે. પિતાનું વચન પાળવા ખાતર વનવાસ જતી વખતે રામચંદ્રજી સીતાજીને પૂછવા નથી ગયા. આજ તો સમાન હક્કની મારામારી મોટી ચાલે છે. આજની સુભાર્યાઓ એવી કે આવું કાંઈ બને તો તરત કેસ કરવા ઊભી થાય અને પડકાર કરે કે, “મને (પત્નીને) પૂળ્યા વિના મા-બાપની આજ્ઞા મનાય કેમ ?' વારુ ! બાપ પહેલો કે પત્ની પહેલી ? રામચંદ્રજી તો કહે છે કે, પિતાના વચનનું પાલન કરવા રાજઋદ્ધિનો ત્યાગ કરવો એમાં પત્નીને પૂછવાનું શું ? આજે તો કહે છે કે, “પરણતી વખતે કોલ આપ્યો છે.” શું કોલ આપ્યો છે ? મા-બાપને વેચી ખાવાનો એમ ? દેવગુરુ, ધર્મ, મા-બાપ એ બધાં પછી અને પહેલી ઘરની દેવી એમ ? વીસમી સદીના આ બિરાદરોને ભણેલા કહેવા કે મૂર્ખ ? સ્ત્રીને ખાતર દેવગુરુ, ધર્મ, મા-બાપ વગેરેને ન ગણે એ કેવા સમજવા ? ઠીક છે ! પોતે દુનિયામાં બેઠો છે ત્યાં સુધી પોતે પોતાની સ્ત્રીના ખાનપાનની, વસ્ત્રાદિની સંભાળ ન લે, પોતે સ્વચ્છંદપણે વર્તે અને પોતાની સ્ત્રીને દુઃખી કરે તો એ ગુનેગાર છે, પણ “મને પરણ્યા પછી દેવગુરુ, ધર્મ કે મા-બાપ પાસે જવું હોય કે એમની સારસંભાળ લેવી હોય તો એ બધું મને પૂછીને જ થાય” આવો પત્ની સાથે કોલ કરીને જો એ લોકો પરણતા હોય તો તો મારે કહેવું પડે કે એ નમાલાઓ પુરુષ કહેવરાવવાને પણ લાયક નથી, પછી ભલે એ પોતાના મનથી પોતાને મૂછાળા માની મલકાયા કરે. શ્રી આનંદઘનજી મહારાજ તો કહે છે કે, એવાની પુરુષમાં ગણતરી જ નથી, માટે જ એ મહાત્માએ કહ્યું કે – “જે તે જીત્યા રે, તેણે હું જીતીયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ?” ભક્તિની વિધિ સમજો : - પ્રવૃત્તિ અશુદ્ધ હોય તો માનવું પડે કે ઇરાદો અશુભ છે. ઠીક છે, ક્વચિત્ ઇરાદો શુભ હોય છતાં અજ્ઞાન યોગે કે છદ્મસ્થતાના યોગે ક્યારેક ભૂલ પણ થાય. પણ કાયમ ભૂલ થાય તો તો ઇરાદો અશુભ માનવામાં વાંધો નથી. માટે ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy