________________
૪૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
| 1620 પ્રતિષ્ઠામાં બાકળા શા માટે ઉછાળાય છે !
ધર્મના રક્ષકને તો બધી ચિંતા હોય. અણસમજુઓ ઉછાંછળા થાય પણ રક્ષક એવા ન બને. ગાંડાઓ પાંચા ગાળ પણ દે. પરંતુ શેઠિયા સામી ગાળ ન દે. એ તો ગંભીરતા રાખી વાત ગળી ખાય. જેમ જેમ ભક્તિનાં કાર્યો બંધ કરીને પોતાને આપવાનું કહે અથવા તો ધર્માનુષ્ઠાનો સામે આંખો કાઢે, તેમ તેમ સાચા શ્રાવકનું મન ત્યાંથી ઊઠી જાય. “ધર્મના નામે આવા ધુમાડા કેમ કરો છો ?' એમ બોલ્યો કે સાચો શ્રાવક એને “સુપાત્રમાંથી કુપાત્ર બન્યો’ એમ માને. ભક્તિમાંથી તો ગયો. પણ અનુકંપાને લાયક પણ રહ્યો કે કેમ એ પ્રશ્ન છે. શ્રી જિનેશ્વરદેવને તથા એમના આગમને તુચ્છ કહે અને એ બંને માટે એલફેલ બોલે, નિગ્રંથ ગુરુઓ માટે પણ એલફેલ બોલે અને એમના ઉપર કારમાં ખોટાં કલંકો ચઢાવે ત્યાં સાચો શ્રાવક દયા પણ શી રીતે કરે ? જેને પોતે પૂજતો હોય તેને માટે એલફેલ બોલનારની દયા કરવાનું મન પણ થાય શી રીતે ? પોતાની સ્ટીમરને કાણી કરનાર પ્રત્યે દયાળુને દયા કરવાનું મન કઈ રીતે થાયં ? પણ એ દયાળુઓ એ બિચારાને કર્માધીન માને છે અને ટુકડો ફેંકવાથી પણ જો પેલાઓ દેવગુરુની નિંદા કરતા અટકતા હોય તો આપે, એ દયાથી નહિ, પણ તિરસ્કારબુદ્ધિથી અપાય છે. સાચો શ્રાવક ત્યાં પણ કહીને આપે કે, “આમ તો તમે મારા રોટલાના ટુકડાને પણ લાયક નથી, પરંતુ અમારા હૃદયમાં દયાના અંકુરો છે અને તમે કેવળ રોટલાના ટુકડા માટે જ જો પ્રભુને ગાળો દેતા હો તો એ ગાળો દેતા બંધ થાઓ તે માટે તમને ટુકડા આપીએ છીએ.” દુર્જનને સલામ ભરવાનો હેતુ એક જ કે એ વિના કારણ હેરાન ન કરે. પ્રતિષ્ઠામાં બાકળા શા માટે ઉછાળાય છે ? એના દ્વારા દુષ્ટ દેવતાઓને બલિ અપાય છે, કે નાહકના એ દુષ્ટ દેવો પુણ્યકાર્યમાં વિઘ્ન ન કરે.
સભા પોતાને બાકળા મળે એમાં એ દેવો પોતાનું અપમાન ન માને ?”
ના. એને એ જ ગમે. જેવી જેની યોગ્યતા. ભૂંડનો એ ગુણ કે વિષ્ટામાં જ એ આનંદ માને. નહિ જેવા સ્વાર્થ માટે ઘોર પાપ કરનારા આત્માઓ આ સમાજમાં આજે જીવે છે, એક પેટ ભરવાને ખાતર પ્રભુ, પ્રભુના આગમો અને પ્રભુના નિગ્રંથો માટે ફાવે તેમ લખનારા છે અને એ છડેચોક લખે જાય છે. એમને પૂછો કે, “અરે ! ભાગ્યશાળી ! આવું શા માટે લખો છો ?' તો કહેશે કે, પેટ માટે.” પેટ ભરવા માટે પણ કોને માટે શું લખવાનું, એ કાંઈ જોવાનું જ નહિ ? પેટ માટે શ્રી જિનેશ્વરદેવના શાસનની નિંદા થાય ? માનપાન માટે ધર્મની અવગણના કરાય ? દુનિયાની વાહવાહ માટે ધર્મને છેહ દેવાય ? જે