SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1212 જિનેશ્વરદેવની શી આજ્ઞા છે, તે જાણવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવ કહે છે કે આઠ વર્ષની વય પહેલાં વિરતિના પરિણામ પ્રાય: જીવને થતા નથી.” ત્યાં પણ “પ્રાય: શબ્દ મૂક્યો છે, એટલે ક્વચિત્ કોઈને થાય તો તેનો ઇન્કાર નથી, એમ ભગવાન પણ ફરમાવે છે. આઠ વર્ષની વયથી વિરતિનાં પરિણામ આવવા માટે આગમનું કે વ્રતાદિકનું જ્ઞાન જોઈએ જ એવો કાયદો નથી. તેમજ વિરતિનાં પરિણામ આવ્યા પછી વિરતિ લેવા માટે પણ અમુક જ્ઞાન જોઈએ જ એવો પણ કાયદો નથી. વિરતિનું સ્વરૂપ, તેના પ્રકાર, તેના ભેદ-પ્રભેદ જાણ્યાં વિના પણ વિરતિ અંગીકાર કરીને, ગુરુનિશ્રાએ રહીને, અનેક આત્માઓ કેવળજ્ઞાન પામીને મુક્તિમાં ચાલ્યા ગયા અને વિરતિના સ્વરૂપાદિને જાણનારા અનેક રહી ગયા, આવા સંખ્યાબંધ બનાવો શાસ્ત્રના પાને નોંધાયેલા છે. : દીક્ષા આપનાર કેવા જોઈએ ? શાસ્ત્ર કહે છે કે એક એક જ્ઞાનીની નિશ્રાએ અનંતા અજ્ઞાની તરી ગયા, સંખ્યાબંધ તરે છે અને અનંતા તરશે ! એક કપ્તાનના આધારે આખી સ્ટીમર સામે પાર જાય છે ને ? સભાઃ કપ્તાન એટલે નિર્ધામક. એ નિયમિક કેવો જોઈએ ?' આગમનો જ્ઞાતા, એમાં શંકા નહિ. જે કાળે જે આગમ વિદ્યમાન હોય તેનો જ્ઞાતા અને એને જ ચીંધનારો એ હોય; એને વીંધનારો હોય તે શાસન બહાર છે. આગમ જાણે તે જ ગીતાર્થ. એવા ગીતાર્થની નિશ્રાએ આજ્ઞાને અનુસરીને ચાલવાથી અજ્ઞાની પણ તરી જાય. શાસ્ત્ર કહે છે કે પગલું પણ ત્યાં મૂકવું કે જ્યાં જ્ઞાની કહે. જ્ઞાનીએ કહેલી જગ્યાએ વગર જ્ઞાને પણ પગ મુકાય. બધું જાણ્યા બાદ જ ક્રિયા થાય એમ માનીએ તો તો કેવળજ્ઞાન વિના કોઈ પ્રવૃત્તિ જ ન થાય. શાસ્ત્ર પણ વિનયપૂર્વક ભણાય. પણ વિનય, વિવેક અને ભક્તિનું સ્વરૂપ પણ જણાય તો શાસ્ત્રથી ને ? સભા: “કારણ પહેલું કે કાર્ય પહેલું ?' પહેલું કારણ, પછી કાર્ય, મુક્તિએ જવાનાં પરિણામ એ કારણ અને પછી એને માટેની તમામ ક્રિયા એ કાર્ય. જિનકલ્પ કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર આજે કોઈ માગે તો નથી. જે કાળમાં જે વસ્તુનું અસ્તિત્વ હોય તે જ આરાધાય. મહાવ્રતનો પ્રભાવ : સભાઃ “મહાવ્રત લીધેલા તો મોક્ષે જ જાય ને ? એ પડે ખરા ?” પડે. અત્યારે પણ પડે, ભગવાન મહાવીરદેવના કાળમાં પણ પડતા હતા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy