________________
1605
- ૨૭: સંસાર એક કતલખાનું – 107 –
૪૧૭ મનાય કે એને જરૂર દયા પરિણમી છે. પણ એ તો સંસારને કતલખાનું માને ત્યારે જ બને, પોતાના આત્માની ચોવીસે કલાક કતલ ચાલુ છે એમ સમજાય તો જ બને. તમારા આત્માની ચોવીસે કલાક કતલ ચાલુ છે એમ તમને લાગે છે કે નહિ ? એ કતલખાનાથી છૂટવાની ભાવના થઈ કે મહાવ્રત આવ્યાં. આ બધા વિચાર સમ્યગુદૃષ્ટિને હોવા જોઈએ. દયા હોય તો બધે દેખાયઃ
શ્રીસંઘરૂપ મેરૂમાં જીવદયારૂપી કંદરાઓ (ગુફાઓ) ઠામ ઠામ છે. શ્રી જૈનશાસનમાં જીવદયાના જે ઘોષ છે તે બીજે ક્યાંય નથી. આ શાસનમાં ખાનપાનના રીતરિવાજ અને રંગરાગ પર જે અંકુશ છે તે બધા જીવદયા માટે જ છે. એ અંકુશ ઇતરમાં જોવા નહિ મળે. આ શાસનમાં પગલે પગલે અહિંસાની રક્ષાના પ્રયત્નો છે. નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા અહીં છે. કીડીને પણ સાચવી સંભાળીને યોગ્ય સ્થાને મૂકે તે દયા જૈનોમાં જોવા મળે, બીજે નહિ. કીડીઓ થાય તેવી ચીજ જ્યાં ત્યાં ઢોળાય નહિ તેની કાળજી જૈનો રાખે, બીજા ન રાખે. ખાટલા, પલંગ કે ગાદલાં તડકે ન મુકાય એ જૈનો જાણે, બીજા ન જાણે. જે જૈનો મૂકતા હોય, તેઓ અજ્ઞાન છે અને પાપ બાંધે છે. કદી તડકે મૂકતા હોય ને જંતુ દેખાય તો તરત એને ઉપાડીને છાંયામાં મૂકવાની કાળજી રાખવી જોઈએ. આ બધાં દયાનાં પરિણામ જૈનમાં આવે, બીજાને નહિ આવે. નાના પ્રત્યે જેને દયા હોય તે મોટા પ્રત્યે કદી ઘાતક ન હોય, કેમ કે એને દુઃખની સમજણ છે, દુઃખનું સ્વરૂપ એ સમજ્યો છે. નાનો જંતુ કાંઈ બોલે છે ? નહિ જ. જે ન બોલે તેના પર જેને દયા હોય તેને બીજે દયા ન હોય ? નાના જંતુ પર પણ દયા એ સાચી ક્ષાત્રવટ છે. શ્રી જિનેશ્વરદેવો સાચા ક્ષત્રિય હતા. “કીડી મંકોડીને પાળવામાં કાંઈ દયા સમાઈ જતી નથી” એવો આક્ષેપ કરનારા થાપ ખાય છે, નાના જંતુને મારે એમાં શું ?' એમ માની તેને રિબાવનારા કે તેના પ્રત્યે બેદરકાર રહેનારાઓ મોટા માણસને પાળવાની વાત કરતા હોય તો પણ તે ઘાતકી છે. કેમ કે એ એને શા માટે પાળે છે તે તો એ જ જાણે. અત્યંત દુઃખી નાના ઘણા જંતુને રિબાતા મૂકીને એ જ્યારે મહેનત કરીને મોટાને બચાવવા જાય ત્યાં દયા નથી. પણ જરૂર કાંઈક બીજો ભેદ છે. દયા હોય તો બધે દેખાય. કર્મના સ્વરૂપને સમજવું પડશેઃ
ઓછી મહેનતે ઘણો દુઃખી જીવ બચતો હોય, સહેલાઈથી બચતો હોય, પછી ભલે એ નાનો હોય છતાં ત્યાં બેદરકાર રહેનારા મોટા આદમીને