SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ - HEM ૪૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સહનશીલતા એ ફરજિયાત છે. ઘણાયે સ્વતંત્ર મિજાજના હોય પણ સો પચાસ રૂપિયા માટે અનેકની ગુલામી કરતા ફરે છે, બૂટનો અવાજ પણ ન થાય તે રીતે સંયમથી ચાલે છે અને વારંવાર શેઠને સલામો ભરે છે. શાસ્ત્ર કહે છે કે, બળવાનની સામે ક્ષમા, અહિંસા વગેરે સહજ છે. ઘણાં જંતુ એવાં હોય છે કે જરા અવાજ થતાં નિચેષ્ટ થઈને પડે છે. જાણે મરી ગયાં હોય એવાં જ દેખાય. એનાં અંગમાં લેશ પણ સંચાર ન થવા દે, પણ જેવો ભય દૂર થાય કે ચાલવા માંડે. ભયના કારણે અવાજ માત્રથી આવી ચેષ્ટા એ કરે છે. આ રીતે પોતાનાં અંગોપાંગની ચેષ્ટા એણે રોકી માટે એને સંયમી કહેવાય ? નહિ જ. બળવાનની સામે કોણ થાય ? ત્યાં તો કળથી જ કામ લેવાય. ત્યાં તો પ્રત્યક્ષ દેખાય છે કે જો હાથ ઉપાડ્યો તો ડાંગ પડવાની જ છે. ગમે તેવો હાથ હોય પણ સામે ડાંગ પડી કે મામલો ખલાસ. બે ગાડાંવાળા પરસ્પર હરીફાઈમાં ઊતરે પણ ગાડાવાળો કાંઈ ઘોડાગાડીવાળા સાથે હરીફાઈમાં ઊતરવા ન જાય, કારણ કે સમજે છે કે એમાં હારવાનું જ છે. જ્ઞાની કહે છે કે નબળા પ્રત્યે જ્યારે દયાની ભાવના આવે ત્યારે જાણવું કે દયા હવે હૈયામાં પરિણમી છે. સમ્યગદષ્ટિના વિચારઃ શાસ્ત્રકારોએ ઉપશમનું લક્ષણ બતાવતાં કહ્યું કે : “અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂલ' ' , | નિરપરાધી પ્રત્યે તો પ્રતિકૂલ ચિતવવાનું શું હોય ? પરંતુ અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂલ ચિતવવાની મના છે. નિરપરાધી પ્રત્યે પણ પ્રતિકૂલ ચિતવે એ મહા કમનસીબી છે. અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂળ ન ચિંતવાય ત્યાં ગુણની કિંમત છે. આ વાત બધે લાગુ પડે. દરેકે પોતાના આત્મા સાથે લાગુ પાડવાની છે. જ્યાં જ્યાં ગુણની પ્રશંસા કે અનુમોદના કરવા જાઓ ત્યાં આ વિચાર હૈયામાં આવવો જોઈએ. જ્ઞાનીએ કહેલી આ ભાવના આવે ત્યારે જ સાચું બળ આવે. જે રાજાઓએ દુમન રાજા સામે હથિયાર ચલાવ્યાં ત્યાં કહ્યું કે, ન છૂટકે ચલાવ્યાં, ચાલ્યું નહિ માટે ચલાવ્યાં ત્યાં સુધી તો અમુક દૃષ્ટિએ શાસ્ત્ર એનો બિચાવ કર્યો. પણ જ્યાં નિરપરાધી પ્રત્યે શસ્ત્રો ઉગામ્યાં ત્યાં બચાવ હોય ? નાનો રાજા મોટા રાજાને ખંડણી ભરે તે ક્ષમાશીલ કે ઉદાર છે માટે? એ કાંઈ દયાદાન કરે છે ? પુણ્ય માનીને આપે છે ? ના. જો એમ હોય તો તો આ જગતમાં કોઈ પણ નથી. બધા જ દાતાર છે. ભયંકર આપત્તિમાં પણ જે ગુણ જાળવી શકે છે, હીનસત્ત્વો ઉપર પણ જે દયાનાં પરિણામ રાખી શકે છે ત્યાં
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy