________________
1599 – ૨૭ : સંસાર એક કતલખાનું - 107
– ૪૧૧ નહિ એ હિંસા તે સ્વરૂપ હિંસા, દુન્યવી તમામ ક્રિયા તે હેતુ હિંસામાં જાય છે,
જ્યારે એમાં રાચી માચીને જે ક્રિયા થાય તે અનુબંધ હિંસામાં જાય છે. કેટલીક વખત દયા પણ હિંસાને અનુસરતી હોય છે. અનુબંધ અને હેતુ હિંસાથી બચીને છેવટે જ્યારે સ્વરૂપ હિંસાથી પણ બચશે ત્યારે મુક્તિ થવાની છે. છેલ્લે કાયયોગનો નિરોધ થશે, શૈલેશીકરણ થશે પછી જ મુક્તિ થશે. બધી ક્રિયા સંપૂર્ણ અહિંસક બનવા માટે છે:
સમ્યગુદૃષ્ટિના જીવનમાં અનુબંધ હિંસાનો સર્વથા અભાવ હોય છે. પણ હેતુ અને સ્વરૂપ હિંસા તો એને હોય છે. પાંચમા ગુણસ્થાનક સુધી પણ હેતુ હિંસા હોય. છઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ હેતુ હિંસા હોય. સાતમા ગુણસ્થાનકે હેત અને અનુબંધ હિંસાનો અભાવ હોય છતાં કાયયોગે થતી હિંસા (સ્વરૂપ હિંસા) ત્યાં પણ સંભવે છે. સંપૂર્ણ અહિંસક દશા ન આવે, શૈલેશીકરણ ન થાય ત્યાં સુધી આત્માની મુક્તિ નથી. આ બધી ક્રિયા સંપૂર્ણ અહિંસક બનવા માટે છે. પોતાનો આત્મા હિંસાના યોગે સંસારમાં રૂલે છે, દુઃખી થાય છે એ રીતે જ્યારે પોતાની દયા આવે ત્યારે એની તમામ કાર્યવાહી કરી જાય છે, કેમ કે ધ્યેય ઊંચું, આદર્શ સાચો એટલે કાર્યવાહી સારી જ થાય. અહિંસાની રક્ષા માટે જ દ્વાદશાંગીની રચના :
જીવદયા એ શ્રી જિનેશ્વરદેવના શાસનનો મૂળ સિદ્ધાંત છે. આ શાસનમાં એકે અનુષ્ઠાન કે એકે ક્રિયા એવી નથી કે જેમાં જીવરક્ષા ન હોય. મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એ બધામાં હિંસા છે માટે જ એ બધાનો ત્યાગ છે. તેથી એ બધાનો ત્યાગ અહિંસા માટે જ છે. એક પણ પાપસ્થાનક એવું નથી કે જેમાં હિંસા ન હોય. અહિંસાની રક્ષા માટે જ આખી દ્વાદશાંગીની રચના છે એમ કહી શકાય. મૂળ તત્ત્વો બે છે, જીવ અને અજીવ. અજીવના સંગમાં જ્યાં સુધી જીવ ફસાયો છે ત્યાં સુધી તેની હિંસા થવાની જ. સંસાર એ કતલખાનુંઃ
સંસાર એ આત્મા માટે કતલખાનું છે. ત્યાં ચોવીસે કલાક આત્માની કતલ ચાલી રહી છે. એ કતલખાનામાંથી છૂટવાની ભાવના એ ભાવાનુકંપા. એમાંથી બીજાને છોડાવવાની ભાવના એ વિશેષ કોટિની ભાવાનુકંપા અને વિશ્વના સઘળા જીવોને એમાંથી છોડાવવાની શ્રી જિનેશ્વરદેવોને થતી ભાવના એ ઉત્કટ કોટિની ભાવાનુકંપા, પણ પહેલાં પોતાની ભાવદયા આવે પછી બીજાની આવે ને ? સંસારરૂપી કતલખાનામાં ચોવીસે કલાક આત્મા પોતાના હાથે જ પોતાની