________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં હવે તેમાં રહેલી જીવદયારૂપી ગુફાઓનું વર્ણન કરે છે. શ્રીસંઘરૂપ મેરૂમાં ઠામ ઠામ જીવદયારૂપી સુંદર ગુફાઓ છે, જેમાં રહેલા તપસ્વી મુનિઓ કર્મશત્રુને જીતવા ઉદ્દામ બનેલા છે. ઉદામ બનેલા તે તપસ્વી મુનિઓ કુમતવાદીઓરૂપી હરણિયાઓને ત્રાસ પમાડવા માટે સિંહ જેવા છે. શરીરની સેવામાં આત્માનો સંહાર છેઃ
૪૧૦
1598
જૈનશાસનમાં એકે ક્રિયા એવી નથી કે જેમાં જીવદયાની વાત ન હોય. એ દયા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. દ્રવ્યદયા આખી દુનિયામાં પ્રચલિત છે, જેથી તે સામાન્ય માણસ પણ પામી શકે છે. આખી દુનિયા શરીરની તો પૂજારી છે જ. શરીર ઉપર મમત્વ કોને નથી ? શરીર ઉપર આવતી આપત્તિને દુઃખરૂપ આખી દુનિયા માને છે અને તેથી જ એ દુઃખને દૂર કરવામાં દયા પણ આખી દુનિયા માને એ બનવા જોગ છે. જૈનશાસનમાં શરીરની દયા કરતાં આત્માની દયાની મુખ્યતા છે. શરીરની સેવામાં તો આત્માનો સંહાર છે. માટે જ મહર્ષિઓએ શરીરની સેવા છોડી પ્રાણાન્ત કષ્ટો સહ્યાં. ઘોર ઉપસર્ગપરિષહો વેઠ્યા અને ત્યારે જ કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિ મેળવી શક્યા. તત્ત્વજ્ઞાનીઓને બહા૨ની દયા કરતાં અંદરની દયા પ્રધાન છે. દુનિયાને દ્રવ્યદયા તરફ ઝુકાવવી સહેલી છે. પણ ભાવદયામાં લઈ જવી મુશ્કેલ છે. કેમ કે ભાવદયામાં તો આ લોકની સુખસાહ્યબી છોડવાની છે, એટલું જ નહિ પણ પરલોકની ઋદ્ધિસિદ્ધિ પણ ઇચ્છવાની નથી. ત્યાં તો માત્ર મુક્તિના અનુપમ સુખની જ ઇચ્છા રાખવાની છે.
જેને પોતાની દયા નથી એને પરની વાસ્તવિક દયા પ્રગટતી નથી :
સુખ કાં તો દેખાતું હોય (આ લોકના ભૌતિક સુખની જેમ) યા તો કલ્પેલું સુખ મળવાનું બતાવાતું હોય (પરલોકનું) તો તો દુનિયા હયે માને, કેમ કે દુનિયાના રંગરાગ ને ખાનપાન આદિના સુખનો એને અનુભવ છે, પણ મુક્તિના સુખનો તો કોઈને અનુભવ નથી. એટલે એ માનવું મુશ્કેલ છે અને દુનિયાને મનાવવું પણ મુશ્કેલ છે. જેને પોતાની દયા નથી એને બીજાની વાસ્તવિક દયા પ્રગટતી નથી.
હિંસાના ત્રણ પ્રકારઃ
હિંસાના ત્રણ પ્રકાર છે. સ્વરૂપ હિંસા, હેતુ હિંસા ને અનુબંધ હિંસા. મુક્તિની સાધના માટે કરવી પડતી જરૂરી ક્રિયામાં જે હિંસા થયા વિના રહે