________________
1595 – ૨૬ : દ્રવ્યદયા... ભાવદયા.. નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૭ આવે છે. અરે, આકાશમાંથી ઊતરે છે અને પાતાળમાંથી નીકળે છે. પણ જોજો ! ધન માટે ધર્મ ન કરતા. ધર્મ તો ધર્મ માટે જ. મુક્તિ માટે જ કરજો. ધન તો ધર્મીનું ગુલામ છે. ધનહીન અને ધનવાન એ બેય ધર્મી હોય તો સુખી હોય. લક્ષ્મીની મમતા જાય તો જ સાચી ઉદારતા આવે. જૈનકુળની ભાવના અને આચાર?
જૈનકુળની ભાવના તથા એ કુળના આચાર જ એવા હોય કે જે ભલભલાને પાપથી બચાવે. મંત્રીશ્વર વસ્તુપાળ, તેજપાળ ઉપર એક વખત ભયંકર આરોપ આવ્યો હતો. વિરોધીઓનું એ તર્કટ હતું. મંત્રીશ્વરોનો નિયમ એવો કે આંગણે આવેલો કોઈ ભૂખ્યો ન જાય. ભોજનશાળા એવી ચલાવતા કે રોજ હજારો અતિથિ અભ્યાગતો જમે. ત્યાં પધારતા મુનિઓને અનુપમાદેવી પોતે વહોરાવે. મંત્રીશ્વરના એ રસોડેથી રાજાને ત્યાં રોજ મિષ્ટાન્નના થાળ મોકલાય. કોઈ વિજ્ઞસંતોષી વિરોધીએ રાજાના કાન ભંભેર્યા કે આ મંત્રીઓને ત્યાંથી તો રોજ વધ્યો-ઘટ્યો ને એંઠોજૂઠો માલ આપને ત્યાં મોકલાય છે. કાચા - કાનનો રાજા એક વખત આ વાતની ખાતરી કરવા જોગીના વેષમાં ત્યાં જઈ સૌની સાથે પંગતમાં જમવા બેસી ગયો. એવામાં એક મુનિ વહોરવા પધાર્યા. અનુપમાદેવી વહોરાવે છે. ઘીની ધાર કરતાં મુનિનું પાત્ર ઘીથી ખરડાયું એટલે અનુપમાદેવીએ પોતાની કીમતી સાડીના છેડાથી એ સાફ કરી નાખ્યું. મુનિ કહે, “આ શું કરો છો? આવી કીમતી સાડી શું કામ બગાડી ? બીજા કપડાથી સાફ થઈ શકત.' ત્યારે અનુપમાદેવી મુનિને બે હાથ જોડીને કહે છે કે, “મહારાજ ! દેવગુરુના પ્રભાવે અને આપ પૂજ્યોની કૃપાથી લીલાલહેર છે. આવી સાડીઓનો હિસાબ નથી. વંધમાં ભાગ્યયોગે રાજા પણ એવા પુણ્યવાન મળ્યા છે કે એના આશ્રયે ધર્મનાં કાર્યો બહુ સુખપૂર્વક સારી રીતે કરી શકીએ છીએ.” રાજા આ સાંભળી વિચારે છે કે જેમની સ્ત્રીઓ આવી ભક્તિ કરે અને પાછળ પણ મારા આટલાં ગુણગાન ગાય એ મંત્રીઓ મને કદી એઠોજૂઠો માલ ન જ મોકલે. પેલા વિજ્ઞસંતોષીઓની વાત તદ્દન જૂઠી લાગે છે. અનુપમાની આવી ભાષા કેમ નીકળી ? સાડીનો મોહ છૂટ્યો માટે ને ? જેની કિંમત હોવી જોઈએ તેની અકિંમત કરી છેઃ
આજે બાઈઓ દેરાસરમાં રૂમાલ તો લાવે છે, પણ તે જમીન પૂંજવા નહિ, પણ પાથરીને બેસવા માટે કે જેથી સાડી ન બગડે. કદી પૂંજે તો પણ ધૂળ સાફ કરવા. જીવોની રક્ષા માટે નહિ. આ દશામાં ઉદારતા આવે ક્યાંથી ? આજે તો કટાસણું સારું હોય પણ ચરવળો ઠેકાણા વગરનો હોય. જેની કિંમત હોવી