SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કાંઈ અર્થકામનો પ્રભાવ નથી. દાન એ કાંઈ અર્થનો પ્રભાવ નથી, શીલ એ કામનો પ્રભાવ નથી, તપ એ મિષ્ટાન્ન કે ભોજનનો પ્રભાવ નથી અને ભાવના એ રંગરાગનો પ્રભાવ નથી. પણ એ બધો પ્રભાવ તો ધર્મનો-આશાનોઆગમનો છે. જેને સંસાર રોગ લાગે તે જ આ બધું સારી રીતે કરે. ધર્મનાં કાર્યો ઉદારતાથી કરવાનાં હોય : 1594 જેને સંસા૨ ગમે તે વળી દાન આપે ? દાન દેવામાં અને દેવરાવવામાં તો નવ નેજે પાણી ઊતરે. કદી બોર્ડ ખાતર, નામના ખાતર, વાહવાહે ખાતર દાન દે પણ લક્ષ્મી કુપથ્ય છે એમ માનીને એ દે ? લક્ષ્મીને કુપથ્ય માનીને દાન દેનારા દાતારો જૈનસમાજમાં પાકે તો પૂર્વના કાળમાં ધર્મની જે જાહોજલાલી હતી તે આજે પાછી આવે. પૂર્વના જૈનોની ઉદારતા ન હોત તો આટલાં મંદિરો આજે જોવા મળત ? આજના કૃપણના કાકાઓ સ્વદ્રવ્યથી મંદિરો બંધાવે ? મજૂરની મજૂરીમાં કાપ મૂકનારા અને ભગવાનની મૂર્તિ માટે ભાવતાલ કરનારા, સ્વમંદિરો બંધાવે એ કદી ન બંને. શાસ્ત્ર કહે છે કે ધર્મનાં કાર્યો ઉદારતાથી કરવાનાં હોય, એમાં ભાવતાલ ન જ કરાય. છેઃ ધન તો ધર્મીનું ગુલામ મંત્રીશ્વર વસ્તુપાળ આબુજી ૫૨ મંદિર બંધાવતા હતા. એક વખત અનુપમાદેવી સાથે ત્યાં ગયાં છે. પરમાત્માની પૂજા કરી મંદિરના કામનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે જણાયું કે કામ તો કાંઈ આગળ વધતું જ નથી. કારીગરોને પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે, ‘મંત્રીશ્વરજી ! રોજ નીચેથી ઉપર જવા આવવામાં જ સમય ઘણો જાય છે, ઠંડી પણ પુષ્કળ પડે છે એટલે બપોરે સૂર્યના તાપમાં જે કામ થાય તે થાય.' આ સાંભળી અનુપમાદેવીએ મંત્રીશ્વરને જણાવ્યું કે ‘આ રીતે કામ ચાલે તો મંદિર આ ભવમાં પૂરું નહિ થાય અને આપણે આપણા હાથે પ્રતિષ્ઠા નહિ કરી શકીએ માટે જો આપણે સ્વહસ્તે પ્રભુપ્રતિષ્ઠા કરવી હોય તો હવે કારીગરો આથી ચાર ગુણા રાખો, ખાનપાન અને વસ્ત્રાદિ ઋતુને અનુકૂળ તેમને આપો અને મહેનતાણું રોજ ઉપર નહિ. પણ પથ્થરમાં કારીગીરી કરી જેટલો ભુક્કો પાડે તેના ભારોભાર સુવર્ણ આપો, તો જ મંદિર સમયસર તૈયાર થાય અને આપણા મનોરથ સફળ થાય.’ મંત્રીશ્વરે એ પ્રમાણે કર્યું અને આજે આબુજીનાં એ મંદિરો વિશ્વમાં વખણાઈ રહ્યાં છે. સભા : ‘આજે એટલું ધન ક્યાં છે ?’ જે છે, તેના પ્રમાણમાં પણ દાન થાય છે ? કહો કે ધન છે પણ ધનનો સદુપયોગ નથી. ધનનો સદુપયોગ થાય ત્યાં ધન તો ચોમેરથી દોડી દોડીને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy