________________
૪૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1592 તું મહારંભ ને મહાપરિગ્રહમાં પડી જીવોને હણ નહિ અને વિષય કષાયને આધીન થઈ તારા ભાવપ્રાણોને પણ હણ નહિ.” ભરત મહારાજાએ પોતાને જાગૃત રાખવા આવા સાધર્મિકો રાખ્યા હતા. તમે કોઈ આવા ચોકિયાતો તમારી આજુબાજુ રાખ્યા છે ? એ અપમંગલ નથી પણ સુમંગલ છે?
આજના સમયધર્મીઓ તો કહે છે કે મોજશોખમાં પડેલાને નવકાર સંભળાવવા તે અસમયોચિત છે. હું તો પાટે બેસીને પહેલાં જ એ તમને સંભળાવું છું. અહીં આવનારા તો બધા સાજાતાજા જ આવે છે ને ? તોયે એમને નવકાર સંભળાવું છું. કેમ ? કારણ કે સારી વાત તો કોઈ પણ સમયે થાય. લગ્નમંડપમાં આવેલો ધર્મી શેઠિયો એમ કહે કે, “આવો લગ્નમંડપ છોડીને બીજે જ દિવસે જંબુકુમાર ચાલી નીકળ્યા હતા તો એમાં હરક્ત ખરી ? ધર્માને તો એ સાંભળીને મીઠું જ લાગે, એને કદી ખોટું ન લાગે. સમ્યગુદૃષ્ટિ મા-બાપ તો ઘોડે ચઢીને પરણવા જતા દીકરાને કહે કે, “દીકરા ! હજી પણ સમજાય તો પાછા ફરવા જેવું છે. આ કાંઈ અપમંગલ નથી પણ સુમંગલ છે. દીક્ષા કે ધર્મ કોના માટે ?
સાચો ગુરુ મરતાંને પણ “સંસાર અસાર' કહે અને જીવતાને પણ એમ જ કહે. સાધુની ભાષા એક જ. પોતે જન્મે એટલે કે સાધુ થાય ત્યાંથી મેરે ત્યાં સુધી એક જ વાત કરે કે “સંસાર ખોટો, મોક્ષ સાચો, ધર્મ સાધન, મોક્ષ સાધ્ય, બધું મૂકવાનું અને આ ઓઘો લેવાનો.” પોતાની પાસે આવનાર નાનું બાળક હોય, યુવાન હોય કે પથારીમાં મરવા પડેલો સો વરસનો ડોસો હોય, એ બધાને એક જ વાત સંભળાવવાની: પાટે બેસીને જે એમ કહે કે, “તમે તો ગૃહસ્થ છો માટે વેપાર ધંધા કરો, ખાઓ પીઓ અને અવસરે ધર્મ કરી લો તો વાંધો નહિ” - આવું બોલનારને શાસ્ત્ર ભાવાનુકંપાના ઘાતક કહે છે. આજનો સમયધર્મ શું કહે છે ? “બાળકની તો રમવાની વય છે, યુવાનીમાં તો વિકાર જાગે માટે એ ભોગ ભોગવવાની વય છે એટલે એનાથી ધર્મ ન સધાય, પ્રૌઢોએ ઘરનાં બાળબચ્ચાંને પંપાળવાનાં અને વૃદ્ધોએ ઘરની સંભાળ રાખવાની.” આ આજનો સમયધર્મ છે. હવે દીક્ષા કે ધર્મ કોના માટે એ કહો ! પ્રેરણા વિના જાગો એવા તમે ખરા?
સ્વયંસંબુદ્ધ એવા શ્રી જિનેશ્વરદેવોને પણ લોકાંતિક દેવો બોધ કરવા આવે એવો કલ્પ છે. યથાસમયે પ્રભુ પાસે આવીને તેઓ કહે છે કે, “ભગવન્! આપ તો સ્વયંસંબુદ્ધ છો પણ અમારો કલ્પ અને આપ પ્રત્યેની ભક્તિના વિશે અમે