________________
૪૦૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
વસ્તુ હોવી જોઈએ, ઉપયોગમાં આવે એવી હોવી જોઈએ. પણ જે ઉપયોગમાં આવે એવી જ ન હોય, તદ્દન નકામી હોય તો એને માટે એ વ્યર્થ મહેનત ન કરે. લાકડાંનો આગળનો અને પાછળનો ભાગ ઉપયોગમાં લે. છોડાં પડે એ પણ ઉપયોગમાં લઈ લે પણ ગાંઠ આવે એને પણ શું કરે ? એ ગાંઠ પર ઓજારો ચલાવી પોતાનાં ઓજારો બુઠ્ઠાં કરવાની બેવકૂફી કારીગર કદી ન કરે. એ ગાંઠ કાં તો મડદાં બાળવામાં, કાં તો હોળીમાં હોમવામાં અને લગ્નાદિના મોટા જમણવાર પ્રસંગે ચૂલામાં બાળવામાં કામમાં લે.
1590
દૂધ પાઈને સાપ ના ઉછેરાય
દયા ગમે તેવી હોય પણ એ પાત્ર જ એવું હોય કે જે ધ્યાના સ્વરૂપને ઊલટી રીતે પરિણામમાં લાવે તો ! સાપને દૂધ પાવાથી જીવન આપનારું દૂધ પણ ઝેર બને છે. કેમ કે સાપનો સ્વભાવ જ એવો છે. માટે તો કહેવત પડી કે ‘દૂધ પાઈને સાપ ન ઉછેરાય.’ નિનાવો, ઉત્સૂત્રભાષીઓ, ઉન્માર્ગદેશકો એ બધા માર્ગના નાશક છે. એ સુપાત્ર નથી, પાત્ર નથી પણ કુપાત્ર છે. જેમને માર્ગ પ્રત્યે ભક્તિ નથી, માર્ગના જ જેઓ નાશક છે તેમને સુપાત્ર બુદ્ધિએ દાન હોય ? એમને આપેલું દાન માર્ગનાશમાં સહાયક બને. માટે ત્યાં બરાબર વિવેક કરવાનો છે. સ્નેહીને, સંબંધીને, અતિથિને આમંત્રણ કરીને ઘર બતાવાય, દીન આદિને પણ દયાભાવે ઘર બતાવાય પણ ચોરને કદી ઘર ન બતાવાય. માણસ તો બધાય છે. ચોર પણ માણસ છે, જનાવર નથી, પણ એને ઘર બતાવવાની મૂર્ખાઈ ન કરાય. એ પૂછે તોય પૂર્વમાં ઘર હોય ને પશ્ચિમ ભણી નજર કરાય. જો ભૂલેચૂકે ઘર બતાવ્યું તો ક્યારેક અર્ધી રાતે આવવાનો ને લૂંટ કરીને ભાગવાનો. જરૂર પડે તો ઘા પણ કરી નાંખે એવો ભયં ત્યાં રહ્યો છે. દાનો દુશ્મન સારો પણ મૂર્ખ મિત્ર ખોટો :
દુનિયાને સાપનો વિરોધ નથી. પણ સાપના ઝેરનો વિરોધ છે, તેમ આપણને પણ કોઈ વ્યક્તિ પ્રત્યે વેર વિરોધ નથી, પણ ઉત્સૂત્ર ભાષણનો વિરોધ છે. ઉત્સૂત્રભાષી પોતાનું બગાડીને બીજા અનેકનું બગાડે એવા છે. અગ્નિ જો તેના સ્થાને સળગે તો હરકત નહિ પણ જ્યાં ત્યાં ન સળગાવાય. દરેક ઘ૨માં અગ્નિ ખરો પણ તે ચૂલામાં કે દીવાની વાટમાં, પણ તિજોરીમાં હોય ? જેમ અગ્નિ વિના જિવાય નહિ તેમ જ્યાં ત્યાં અગ્નિ સળગવા માંડે તો પણ જિવાય નહિ. અગ્નિની જરૂ૨ ખરી પણ તે તેના સ્થાને, બધે નહિ. એ રીતે પાત્રમાં દાન જરૂરી પણ તે પાત્ર હોય તો. છેવટે અનુકંપાપાત્ર હોય, અરે કુપાત્ર છતાં અનુકંપા યોગ્ય હોય તો પણ ઠીક પણ એ કુપાત્ર સુપાત્રનું વૈરી