________________
158૭ – ૨૬ દ્રવ્યદયા.. ભાવદયા.. નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૧ પૈસા કમાવાના રસ્તા મુનિ ન બતાવેઃ
આજના લોકોને તો એમ જ થઈ ગયું છે કે, “આ સાધુઓ લોકોનું શું ભલું કરી શકે ?” કોઈ દુઃખી આવે તો એ તો એક જ વાત કહે છે કે “ભાઈ ! તારો અશુભોદય છે, એ ટાળવા પરમાત્માની આજ્ઞાનું આરાધન કર, મમતાને ઓછી કર, રાગ દ્વેષને મંદ બનાવ, વિષય કષાયને વીસરી જા, સંતોષી થા વગેરે.” પેલો પૂછે કે, “આ સિવાય બીજું કાંઈ ખરું ?' તો હવે મુનિ બીજું બતાવે ક્યાંથી ? પૈસા કમાવાના રસ્તા મુનિને કોઈ પૂછે તો તે મુનિ પાસે ક્યાંથી મળે ? ભાવદયા તો દ્રવ્યનો વરસાદ વરસાવેઃ
ભાવદયાને ખીલવવાની વાતો દ્રવ્યદયાના હિમાયતીઓને બહુ ગમતી નથી. બાકી ભાવદયા તો દ્રવ્યનો વરસાદ વરસાવે છે. ભાવદયાના સ્વામી શ્રી જિનેશ્વરદેવો જ્યાં ભિક્ષા લે છે ત્યાં સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે.
જ્યાં ભાવદયા છે ત્યાં દ્રવ્ય ખેંચાઈને આવવાનું જ. આત્મા ભાવદયામય બનવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવોની દયા અનુપમેય છે. પોતાના આત્માની એવા પ્રકારની દયા કે જેમાં અનંતા જીવોની દયા થાય છે ભાવદયા છે. મુનિને ચૌદ રાજલોકમાં અમારી પડહ વગડાવનારા કહ્યા છે. શ્રાવક તો ગામમાં વગડાવે, રાજા દેશમાં વગડાવે જ્યારે મુનિ તો ચૌદ રાજલોકમાં વગડાવે. અનંતા જીવો માટે અમારી પડહ વાગે એવું મુનિનું જીવન છે. સ્વયં વિરતિધર અને બીજાને વિરતિ પમાડવાનો પ્રયત્ન કરનારા એ જ સાચા દયાળુઓ છે. એક અગત્યનો ખુલાસો
અહીં એક વાત બરાબર સમજી લો. તમે ગૃહસ્થ છો. આ ભાવદયાની વાતના બહાના હેઠળ દ્રવ્યદયા કરતા હો તે માંડી ન વાળતા. દ્રવ્ય અનુકંપા એ તો ભાવદયાના મૂળમાં સિંચન છે. શ્રાવક દ્રવ્યદયા વિનાનો હોય જ નહિ. એના ઘેર આશાએ આવેલો કોઈ ખાલી હાથે પાછો જાય જ નહિ. સુકાઈ ગયેલી નદીમાં પણ ખોદવાથી પાણી મળ્યા વિના રહેતું નથી, તેમ સામાન્ય સ્થિતિના શ્રાવકને ત્યાંથી પણ ટુકડો તો મળે જ. શ્રાવકની એવી ખ્યાતિ હોય જ. પોતાને માટે ચાર જ રોટલી હોય તો પણ આવનારને એમાંથી એક તો આપે જ. કોઈને ના કહેતાં શ્રાવક મૂંઝાય. સભાઃ ગઈ કાલે કુસાધુને ભિક્ષા અંગે જે વાત કરી ત્યાં આ વાતથી બાધ
નહિ આવે ?' કારીગર એનું નામ કે જે કોઈ પણ વસ્તુને ઉપયોગમાં લે, પણ તે વસ્તુ