________________
૪૦૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1590 ત્યાંના ઘઉંની મીઠાશ જ જુદી, ખાવા જેવા તો એ જ ઘઉં.” આવું બોલનારો તમામ પાપ બાંધે. બજારમાં શાકભાજી લેવા જનારો સડેલું ન હોય તે જુએ પણ
ક્યાં પાડ્યું અને કેવી રીતે પાક્યું વગેરે વિગતમાં ન ઊતરે. ઊતરે તો એ પ્રકારનાં પાપ બાંધે. અનાજ સડેલું ન જોઈએ ને વસ્ત્ર ફાટે તેવું ન જોઈએ એટલે કે ટકાઉ જોઈએ, બસ આટલું જ જુએ અને બીજી પંચાતમાં ન પડે તે અનેક પાપથી બચી જાય.
સભાઃ “અંશે તો કર્માદાન લાગે ને ?
ના, અંશેય ન લાગે, કેમ કે એની એ વૃત્તિ જ નથી.. ગૃહસ્થને “દુવિહં તિવિહેણનું અને મુનિને ‘તિવિહં તિવિહેણના પચ્ચકખાણ છે. અહીં મુદ્દો એ છે કે “દુવિહં તિવિહેણના પચ્ચકખાણવાળાને અનુમોદના ખુલ્લી છે એટલે તે દોષ બેઠો છે પણ ત્યાં નિયમભંગ નથી. સંવાસાનુમતિ શ્રાવકને તો એમાંયે બહુ અલ્પ બંધ હોય. જેટલે અંશે નિયમ નથી તેટલે અંશે દોષ લાગે. સાધુને તો “તિવિહં તિવિહેણ પચ્ચખાણ છે એટલે એને દોષ ન લાગે. ભાવ અનુકંપા કેળવ્યા વિના કદી પરિણામ ટકતાં નથી.
સભાઃ “સમ્યગદૃષ્ટિને કોઈ પૂછે કે રસોઈ કેવી બની છે ? તો શું કહે ?”
તેનો યોગ્ય જવાબ આપે. ઘરમાં રહ્યો છે માટે સામાને ઉપયોગ આપવા, માત્ર હોય તેવી વાત જણાવે પણ પછી ગુણદોષ ગાવામાં ન પડે. બોલવા બોલવામાંયે ભેદ પડે છે ને ? એમ કહે ખારી, છે અને બીજો મોઢું બગાડી
ખા.આ...આ.રી' છે એમ લંબાવીને બોલે. સમ્યગુદૃષ્ટિની ઇંદ્રિયો તેજ ના હોય એવું નહિ. સ્વાદને તો એ તરત પરખે પણ પરખવું અને એમાં ભળી જવું એ બે વાતમાં અંતર છે. જમતી વખતે ભોજનના સ્વાદમાં એ કદી પોતાના આત્માને ન ભૂલે. એક જ ભોજન એક જ સમયે સાથે બેસી બે જણા કરે. એમાં એક કર્મ બાંધે અને બીજો કર્મ છોડે. કારણ કે પહેલો અજ્ઞાની છે અને બીજો સમ્યગુદૃષ્ટિ જ્ઞાની છે, માટે જ કહ્યું છે કે :
“જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કઠિન કર્મ કરે છે.' ખાતે પોતે પણ કર્મક્ષય થાય ખરો. પણ ખાતે પોતે જે મોજ માને એને તો ન જ થાય.
સભાઃ “સ્વાશ્રયી જીવનનો સાચો અર્થ શું ?'
કશા દુન્યવી પદાર્થ માત્રમાં ન લેવાયું . ત્યાગવૃત્તિથી દુનિયાનાં ઓછામાં ઓછાં સાધનોથી નિભાવવું તે.