________________
1587
૨૬ : દ્રવ્યદયા... ભાવદયા... નિર્યામણા તથા ઉદારતા
-106- ૩૯૯
સ્વાશ્રયી જીવનનો મર્મ :
સભા ઃ ડૉક્ટર ઘરનો હોય તો બીજા પર આધાર રાખવો ન પડે ને ?’
એમ બીજા પર આધાર ન રાખવો હોય તો ઘાંચી, મોચી, ચમાર, લુહાર, સુતાર બધું જાતે જ બનવું પડશે. ઘરના વાડામાં કૂવો રાખી ખેતી જાતે કરવી પડશે. જાજરૂ પણ જાતે જ સાફ કરવું પડશે અને મર્યા પછી કોઈની સહાય ન લેવી પડે માટે શરીરને અગ્નિદાહ દેવાની તૈયારી પણ જાતે જ કરી રાખવી પડશે. આજે સ્વાશ્રયી બનવાની વાતનો એક મેનીયા ચાલ્યો છે પણ તેમાં વિવેક ચુકાયો છે. દરેક વસ્તુ પોતપોતાની ભૂમિકા પ્રમાણે થાય. બધાં કામ દરેકથી થાય એવું નથી બનતું, અને બધાં કામ દરેકે જાતે જ કરવાં જોઈએ એમ માનવું એમાં વિવેકનો અભાવ છે. ઘણાં કામ એવાં છે કે જે જાતે કર્યા કે કરાવ્યા વગર ચાલે તેમ હોય તો એ પંચાતમાં ન પડવું એ જ હિતકર છે.
સભા ‘કરણ, કરાવણ ને અનુમોદનનાં ફળ સરખાં કહ્યાં છે ને ?’
એવું એકાંતે નહિ . પાપ કરવું અને કરાવવું એમાં લાખો ગાડાંનું અંતર છે. કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેનાં ફળ સરખાં કહ્યાં. પણ તે ત્યાં કે જ્યાં ત્રણેના પરિણામની ધારા એકસરખી બનતી હોય, પરંતુ એ ક્વચિત્ બને છે. બલભદ્રમુનિ એ પાત્ર છે, વહેરાવનાર રથકાર એ દાતાર છે અને મુનિને ત્યાં ખેંચી લાવનાર મૃગલો અનુમોદનાર છે. એ ત્રણેના પરિણામની ધારા એકસરખી થઈ છે. પણ આવાં દૃષ્ટાંત કોઈક જ. જો એમ દરેક વખતે સરખું માનીએ તો તો શ્રી જિનેશ્વરદેવ તેવા પ્રકા૨ની ક્રિયા કરીને તીર્થંકર થયા તો આપણે તેમની અનુમોદનાથી તીર્થંકર થઈએ, પણ એમ બનતું નથી. એક જણ સંઘ કાઢે ને બીજો અનુમોદના કરી સંઘ કાઢવાનો લાભ મેળવી જાય એમ ? તીવ્ર પરિણામની ધારા હોય તો ક૨ના૨ રહી જાય અને અનુમોદનાર પામી જાય એ વાત જુદી પણ્ સામાન્ય નિયમ એવો કે કરનારને વધારે લાભ અને કરાવનારને ઓછો. એ રીતે પાપમાં પણ એમ જ સમજવું. જાતે પાપ કરનારનાં પરિણામ અતિ નિર્ધ્વસ છે, જ્યારે કરાવનારનાં પરિણામ એવાં નિસ નથી હોતાં. એક ક્રિયા રોજ થાય અને કોઈક વાર થાય એમાં પણ પરિણામમાં ઘણો ભેદ છે. બનેલી ચીજોના ઉપયોગમાં અને જાતે બનાવવામાં પરિણામની ધારામાં બહુ અંતર છે. કર્માદાનના નિયમવાળાને રોટલી ખાવાથી ખેતીના ધંધાનું પાપ લાગતું નથી, ત્યાં નિયમભંગ થતો નથી. બે જણ જમવા બેસે તેમાં એક જણ મૂંગો મૂંગો ખાઈ લે અને બીજો ખાતો જાય ને વખાણ કરતો જાય કે ‘આ તો ભાલના ઘઉંની રોટલી લાગે છે, ભાલની જમીન બહુ સારી,