________________
1209 – ૨ ઃ મળશે બધું પણ માગશો શું? - 82 – ૨૧ પ્રેમ છે તેટલો ભાવપ્રાણ પર નથી. દ્રવ્યપ્રાણ માટે “મરી ગયો !” એમ થાય છે પણ ભાવપ્રાણ માટે એમ થતું નથી. ભાવપ્રાણ શું ? આત્મા શું ? એ બધું જાણ્યા અને માન્યા વિના આસ્તિક્ય નહિ આવે. આજની બેકારીનું કારણ અને તેનો ઉપાયઃ
આસ્તિક્ય વિના બેડો પાર નહિ થાય એ આસ્તિકતા નથી. આવા માટે તો આજે કહે છે કે-“આ જમાનામાં ધર્મના નામે આટલા પૂજાપાઠ અને ઉત્સવમહોત્સવો શા ? એક તરફ આટલી બેકારી અને લોકોની દુર્દશા અને બીજી તરફ આ ઉપધાન, ઉજમણાં, સાધુઓનાં સામૈયાં અને પૂજા પ્રભાવનાઓમાં ધૂમ ખર્ચા. આ બધું કેમ ચાલે ?” કહેવું પડે કે આવું બોલનારને શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં સ્પર્ધો જ નથી.
બેકારી છે તેની ના નથી, પણ એ છે શાથી ? પૂર્વના પાપથી. અરે, હજી તો ઠીક છે પણ જો નરકે ગયા તો બેસવા કે ઊભા રહેવાની જગ્યા પણ નહિ મળે. ખાવાપીવા કે પહેરવા ઓઢવાનું કશું નહિ મળે. પરમાધામીઓ એવી પીડા ઉપજાવશે કે જેનું વર્ણન સાંભળતાં પણ કંપારી છૂટે. જે ભૂમિમાં અને જે સંયોગોમાં પેદા થયા ત્યાંની સ્થિતિને ભોગવ્યા વિના કોઈ આરોવારો નહિ રહે.
કહે છે કે “પૂર્વે કેવા શ્રીમાનો હતા ?' પણ એ પુણ્યવાન કેવા હતા, એ વિચાર નથી આવતો. “ધનાજી પગ મૂકે ત્યાં નિધાન અને અમે પગ મૂકીએ ત્યાં ધૂળનાં ઢેફાં કેમ ? તેમના આ પ્રશ્નનો જવાબ તો તેમના પ્રશ્નમાં જ આવી જાય છે પણ એ વિચાર કરે કોણ ? ચોવીસ તીર્થંકરદેવો તો સરખા જ ને ? પરંતુ ઋષભદેવ ભગવાનને બાર મહિના આહાર ન મળ્યો, મહાવીર પ્રભુને છે મહિના આહાર ન મળ્યો અને કેટલાક તીર્થંકરદેવોની સ્થિતિ એવી કે સવારે દીક્ષા લીધી અને સાંજે કેવલજ્ઞાન થયું. કશો ઉપસર્ગ સહેવો જ ન પડ્યો. એ શાથી ? એમણે પૂર્વે એવાં કર્મ નહોતાં બાંધ્યાં. ભગવાન મહાવીરદેવે પૂર્વે ભારે કર્મ બાંધ્યાં હતાં. જે કર્મબંધ ભગવાન મહાવીરને ન છોડે તે તમને અને અમને છોડે ? બેકારીની બૂમો મારનારને સાધુ શું કહે ?
બહારની દુનિયાની વાત જવા દો; હમણાં તો આપણા શાસનમાં ગણાતાઓ બેકારીની બૂમો મારે છે. તેની વાત કરો.બેકારીની બૂમ મારતો કોઈ સાધુ પાસે આવે તો સાધુ તેને શું કહે ? પોતે દુઃખી છે, એવી બૂમ મારતો કોઈ સાધુ પાસે આવે તો સાધુ તેને સમજાવે કે ભાઈ એમાં કોઈ નવાઈ નથી.