________________
1585 – ૨૬ઃ દ્રવ્યદયા.. ભાવદયા.... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૩૯૭ જરૂ૨, જે હશે તે આપીશું.” પેલા ભિખારીઓ પણ કેવા ? એ કહે છે કે નહિ આપો તો ચાલશે પણ આપનાં દર્શન કરવા તો આવશે જ.” આ હમણાંનો જ બનેલો બનાવ છે, કોઈ જૂના કાળની વાત નથી. સમ્યગદષ્ટિની માન્યતા જ જુદી :
ભાવદયા જો જીવનમાં પરિણમે તો તેને આનંદ જુદો જ આવે. સમ્યગુદૃષ્ટિની માન્યતા જ જગતના જીવો કરતાં જુદી. એની વિચારણા ઊંચી હોય. પોતાને ગાળ દેનારને એ કર્માધીન માને છે અને સામા જીવના સ્વરૂપને વિચારી પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલું જ નહિ પણ ઉપરથી એ એની દયા ચિંતવે અને વિચારે કે, “એ બિચારો પાપથી તો મરી જ રહ્યો છે તો હવે એ મરેલાને મારવાથી શું ?” ભાવદયાળુ કદી કોઈને અન્યાય ન કરે, એની શક્તિ કદી ઉન્માર્ગે ન જાય. મળેલી શક્તિનો એ કદી દુરુપયોગ ન કરે, કેમ કે શ્રી જિનેશ્વરદેવના આગમોની વાસના એના હૈયામાં ભરી છે. ભાવદયા જાગ્યા વિના સુપાત્રની ભક્તિ પણ સમ્યક્ પ્રકારે થતી નથી. આજના લોકોની હાલત?
આજના લોકોની હાલત જ જુદી છે. એ તો કહે છે કે, “જૈન ધર્મે દુનિયા ઉપર ઉપકાર શું કર્યો ? જૈન સાધુઓ લોકોનું શું ભલું કરે છે ? એમની પાસે તો
જ્યારે જાઓ ત્યારે “સંસાર અસારની પોક મૂકે, બે કડવા શબ્દો સંભળાવે, ઉપાશ્રયની ચાર દીવાલ વચ્ચે પડ્યાં રહે અને વાણિયાના મફતનાં માલપાણી ઉડાવે, બાકી કરે શું ? જ્યારે જુઓ ત્યારે નવરા પડ્યા હોય.” આ બધા આજના કેવળ દ્રવ્યદયાળુઓના વિચારો, આગળ વધીને એ તો ત્યાં સુધી પણ કહે છે કે સાધુઓને કોઈ માંદા પાસે બોલાવો તો નવકાર સંભળાવે અને પચ્ચકખાણની વાત કરે; પણ નહિ કોઈ વૈદ્ય ડૉક્ટરની વાત કે નહિ કોઈ દાવાદારૂની. વાત. લોકકલ્યાણની તો કોઈ વાત જ એમની પાસે નથી.” આવી વાતો કરનારા એ બિચારા ભાવદયાના સ્વરૂપને સમજતા જ નથી.
સભાઃ “સાધુ નિર્ધામણા કરાવવા જાય ?' હા, જરૂર જાય. સભાઃ “વગર બોલાવ્યું પણ જાય ?'
યોગ્ય લાગે તો વગર બોલાવ્યું પણ જાય. કોઈ ધર્માત્મા હોય ને બોલાવી ન શકે તેવા સંયોગોમાં હોય તો વગર બોલાવ્યું પણ જાય. રોજ સમાધિ આપે ને જરૂર પડે તો કલાક બેસે પણ ખરા. એક અશ્વને પ્રતિબોધ કરવા ભગવાન શ્રી