SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ 1585 – ૨૬ઃ દ્રવ્યદયા.. ભાવદયા.... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૩૯૭ જરૂ૨, જે હશે તે આપીશું.” પેલા ભિખારીઓ પણ કેવા ? એ કહે છે કે નહિ આપો તો ચાલશે પણ આપનાં દર્શન કરવા તો આવશે જ.” આ હમણાંનો જ બનેલો બનાવ છે, કોઈ જૂના કાળની વાત નથી. સમ્યગદષ્ટિની માન્યતા જ જુદી : ભાવદયા જો જીવનમાં પરિણમે તો તેને આનંદ જુદો જ આવે. સમ્યગુદૃષ્ટિની માન્યતા જ જગતના જીવો કરતાં જુદી. એની વિચારણા ઊંચી હોય. પોતાને ગાળ દેનારને એ કર્માધીન માને છે અને સામા જીવના સ્વરૂપને વિચારી પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલું જ નહિ પણ ઉપરથી એ એની દયા ચિંતવે અને વિચારે કે, “એ બિચારો પાપથી તો મરી જ રહ્યો છે તો હવે એ મરેલાને મારવાથી શું ?” ભાવદયાળુ કદી કોઈને અન્યાય ન કરે, એની શક્તિ કદી ઉન્માર્ગે ન જાય. મળેલી શક્તિનો એ કદી દુરુપયોગ ન કરે, કેમ કે શ્રી જિનેશ્વરદેવના આગમોની વાસના એના હૈયામાં ભરી છે. ભાવદયા જાગ્યા વિના સુપાત્રની ભક્તિ પણ સમ્યક્ પ્રકારે થતી નથી. આજના લોકોની હાલત? આજના લોકોની હાલત જ જુદી છે. એ તો કહે છે કે, “જૈન ધર્મે દુનિયા ઉપર ઉપકાર શું કર્યો ? જૈન સાધુઓ લોકોનું શું ભલું કરે છે ? એમની પાસે તો જ્યારે જાઓ ત્યારે “સંસાર અસારની પોક મૂકે, બે કડવા શબ્દો સંભળાવે, ઉપાશ્રયની ચાર દીવાલ વચ્ચે પડ્યાં રહે અને વાણિયાના મફતનાં માલપાણી ઉડાવે, બાકી કરે શું ? જ્યારે જુઓ ત્યારે નવરા પડ્યા હોય.” આ બધા આજના કેવળ દ્રવ્યદયાળુઓના વિચારો, આગળ વધીને એ તો ત્યાં સુધી પણ કહે છે કે સાધુઓને કોઈ માંદા પાસે બોલાવો તો નવકાર સંભળાવે અને પચ્ચકખાણની વાત કરે; પણ નહિ કોઈ વૈદ્ય ડૉક્ટરની વાત કે નહિ કોઈ દાવાદારૂની. વાત. લોકકલ્યાણની તો કોઈ વાત જ એમની પાસે નથી.” આવી વાતો કરનારા એ બિચારા ભાવદયાના સ્વરૂપને સમજતા જ નથી. સભાઃ “સાધુ નિર્ધામણા કરાવવા જાય ?' હા, જરૂર જાય. સભાઃ “વગર બોલાવ્યું પણ જાય ?' યોગ્ય લાગે તો વગર બોલાવ્યું પણ જાય. કોઈ ધર્માત્મા હોય ને બોલાવી ન શકે તેવા સંયોગોમાં હોય તો વગર બોલાવ્યું પણ જાય. રોજ સમાધિ આપે ને જરૂર પડે તો કલાક બેસે પણ ખરા. એક અશ્વને પ્રતિબોધ કરવા ભગવાન શ્રી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy