________________
1575
- ૨૫ : દયાની ઓળખ - 105
૩૮૭
ઉઠાવગીર શાહુકાર પાસે આવતાં ડરેઃ
સુસાધુને તકલીફ પડે તો શું થાય ?' એ વાતથી બેફિકર રહેવું. જો એવી કલ્પના કરીએ અને જો દુર્જનનું જ ધાર્યું થતું હોય તો સજ્જન એકે ન જીવી શકે, સુસાધુ એકે ન રહી શકે. દુર્જનનું રાજ્ય થાય તો સારાયે જગતમાં અરાજકતા જ વ્યાપે. દુર્જનની તો આખી દુનિયાના તમામ પદાર્થોના માલિક બનવાની ભાવના હોય, સારીયે દુનિયાના શહેનશાહ બની જવાની તમન્ના હોય પણ એ ન જ બને. એવું બન્યું કદી સાંભળ્યું છે ? ઉઠાવગીર શાહુકાર પાસે આવતાં જ ડરે. દેવાળિયો પોતાને કોઈ ન ઓળખતા હોય ત્યાં રૂવાબથી ફરે પણ પોતાને જાણનાર એક શાહુકારને દૂરથી પણ જુએ કે તરત લપાઈ જાય, આઘોપાછો થઈ જાય. સૂત્રાનુસારી પ્રવચન એ સાચા સાધુનું જીવન છે?
શાસ્ત્રનું સ્વરૂપ કહેતાં સાધુ જરા પણ ન મૂંઝાય. સૂત્રાનુસારી પ્રવચન એ તો સાચા સાધુનું જીવન છે. એ સુસૂત્ર ભાષણને છુપાવવું એમાં તો સાચા સાધુજીવનની બરબાદી છે. શાસ્ત્રાનુસારી વાત બોલવામાં ભય શો ? બહુ તો એથી નારાજ થયેલા રોટલા ન આપે એ જ ને ? આપણામાં આપણાપણું ન હોય, સાચું સાધુજીવન જીવવાની તાકાત ન હોય તો એ રીતે પ્રશ્નો કરી તકલીફ આપનારા તો ઉપકારી અને લાભપ્રદ છે. સાચી વાત તો દુંદુભિ વગાડીને કહેવી. ગેટે ગેટે પોલીસ હોય પણ શાહુકારને ભય શો ? જ્યારે ચોર તો વગર ગેટ નં-વગર પોલીસે છુપાતો ફરે, કેમ કે એનું હૈયું ડંખતું જ હોય. શાહુકારને તો.પોલીસ પણ સલામ કરે છે:
ગુનેગાર છુપાતો ફરતો હોય પણ ઊંઘમાંયે એને પોલીસના ભણકારા સંભળાતા હોય. જરા કોઈ એવાને દેખે ને ભડકે અને એનાથી બોલાઈ પણ એવું જ જાય. કેમ કે પાપ એ બધું કરાવે છે. હજારો પોલીસ ઊભી હોય તોય શાહુકારને એનો ભય હોતો નથી, ભય ચોટ્ટાને હોય છે. શાહુકારને તો પોલીસ પણ સલામ કરે છે. ખોટા માણસને સારા માણસ પાસે આવવું હોય તો સારાનો. સ્વાંગ સજીને આવવું પડે છે ને ! અને પાછો પોતે એને માનતો હોય એવો દેખાવ પણ કરવો પડે છે. વ્યવહારમાં તો આ બધું હોય છે. પણ આ વીસમી સદીની સભ્યતામાં આવો દંભ ક્યાંથી આવ્યો ? આજના એ સુધારકોનો તો દાવો છે કે, “અમે તો હૈયામાં જે હોય તે કહીએ અને ઇચ્છા પ્રમાણે વર્તીએ. અમારી ઇચ્છાની આડે ન આવવું.” હું કહું છું કે આ વીસમી સદી જો આવું કહે છે તો તમે સાધુઓને ત્રણ ગુણા નમવાનો ઢોંગ શા માટે કરો છો ? તેઓ જ્યારે