________________
૩૮૯
-
154
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મુનિએ રોટલો કે શીરો જોવાના નથી પણ બેંતાલીસ દોષ જોવાના છે. શીરો કે રોટલો બેય મુનિને તો એક જ રીતે વાપરવાના છે, અર્થાત્ સ્વાદ વિના જ વાપરવાના છે. સાપ જેમ દરમાં જાય તે રીતે કોળિયો સીધો ગળા નીચે ઉતારવાનો છે. વિધિ એ છે. આ ધ્યેયથી મુનિ ગોચરી વહોરે પણ દોષ જોનારા ત્યાં દોષ જ જુએ કે “જોયું ! મુનિએ માલ લીધો પણ રોટલો ન લીધો.” - સભાઃ “વેષધારી છે એમ ખબર પડે ને એ વહોરવા આવ્યા હોય તો આપે પ્રશ્નો
કરવાના કહ્યા પણ એ પ્રયોગ કદાચ સુસાધુ હોય તો તેને તકલીફરૂપ થાય
ને ? કુસાધુને તો કોઈ ભય ન હોય, તો લાભ શો થાય ? કસાધુને ભય ન જ હોય એમ ન સમજવું. ચોર શાહુકારથી ડરતો જ રહે. કેમ કે ચોવીસે કલાક એનું હૈયું ડંખતું હોય. પોલીસને દેખે કે એના પગ ધ્રૂજે. એવા પણ વિરોધીઓ છે કે જે મારા જેવાને જોઈને ઇરછે કે આવા સાધુ ન હોય તો સારા.” આવી ભાવનાવાળા અને લોકોને ઊંધે માર્ગે દોરતા હોય છતાં પાછા જ્યારે અમને કોઈ વાર મળી જાય ત્યારે એવી રીતે નમન કરે કે, એ જેને ગુરુ માનતા હોય તેને પણ એ રીતે નમન ન કરતા હોય, કેમ કે એના હૈયામાં ડંખ તો છે જ. જેઓ એમ કહેતા હોય કે “સાધુઓને દુનિયાની પ્રવૃત્તિ કરવામાં હરકત શી ?” તેમને પણ જો સભા વચ્ચે બોલવા ઊભા કરો તો એવું નહિ બોલે. અરે ! પોતાના ગણાતા પચાસ માણસમાં ખૂબ જોરશોરથી ભાષણ કરતો હોય ત્યાં ખબર પડે કે એક શાસનપ્રેમી પ્રશ્ન કરે એવો આવી ચડ્યો છે તો તરત વાત ફેરવી નાંખે. “આ તો એક સમજવાની વાત છે.” એમ કહીને ગોટાળા વાળવા માંડે. પેલા પચાસ જણા કાંઈ બોલે તો એમને ઇશારાથી સમજાવી દે કે પેલા શાસનપ્રેમીનો પડછાયો પડ્યો છે. હવે પેલા પચાસ છે, ત્યાં ઓ એકલાનો ભય શો ? પણ એ બધાના હૃદયમાં ડંખ તો છે જ, સ્વાર્થથી રસ્તો ભુલાયો છે એમ તો એમનું હૈયું પણ પુકારે છે. સ્વાર્થીઓને મુનિપણાની પરવા ન હોય ?
આંખ ફરક કાઢનારા અને છક્કો પંચો જોઈ આપનારા સાધુ પાસે સ્વાર્થને લઈને જનારા જાય, માથું પણ નમાવે, એના દેખતાં કરે બધું પણ બહાર આવ્યા પછી એ જે બોલતો હોય તે સાંભળો તો ખબર પડે કે એ સાધુ માટે એના હૈયામાં પૂજ્યબુદ્ધિ નથી. આમ છતાં અવસરે પોતાના સ્વાર્થ માટે એવા સાધુને પણ પંચમકાળના કલ્પતરુ કહી દે, કેમ કે એ સ્વાર્થીઓને મુનિપણાની પરવા નથી હોતી.