________________
૩૮૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
156
પોતાના આત્માની દયા છે. અનેકના ભલાની ભાવનામાં તેમની ભાવદયા છે અને “હું અહિંસક થાઉ” એ ભાવનામાં પોતાના આત્માની દયા છે. ખરી વાત એ છે કે આજે ભાવદયા લુપ્ત થઈ ગઈ છે. સમ્યગદૃષ્ટિને કેવળ દ્રવ્યદયા ન હોય પણ ભાવદયા સાથે જ હોય જ. સામા ઉપર ભલે એકલી દ્રવ્યદયા થાય, સામો ભાવદયા ઝીલે કે ન ઝીલે પણ સમ્યગુદૃષ્ટિના હૈયામાં તો બેય દયા હોય. એની દ્રવ્યદયામાં ભાવદયા બેઠી જ છે. મુનિને એકલી ભાવયા અને ગૃહસ્થને બેય દયા : "
જેને ભાવદયાનાં પરિણામ છે તે દ્રવ્યદયા વિના રહેતો જ નથી. જેઓ એમ કહે કે, “અમને ભાવના છે” પણ આપે નહિ, તો માનવું કે એને વસ્તુ પરિણમી નથી, મમતા કે મૂર્છા ઘટી નથી. મુનિને એકલી ભાવદયા છે જ્યારે ગૃહસ્થને બેય દયા છે; તો સારા કોણ ? આજના લોકો કહે છે કે, ગૃહસ્થ સારા કે જે બેય દયા કરી શકે છે, મુનિ શું કરી શકે ?” મૂર્ખાઓના હિસાબ આવા હોય છે. એ કહે છે કે, “મુનિ તો માત્ર દેશના દે, વાતો કરે અને અમે તો પૂજા કરીએ, મંદિર ઉપાશ્રય બંધાવીએ, તેનો વહીવટ કરીએ, તેની વ્યવસ્થા સંભાળીએ, તેની મૂડીમાં વધારો કરીએ વગેરે.” પણ શાસ્ત્ર કહે છે કે, “સુવર્ણનાં મંદિર બંધાવો અને એમાં રત્નની પ્રતિમા પધરાવો, લાખો અને અબજો રૂપિયા એમાં ખર્ચો પણ મુનિના એક ક્ષણના સંયમને પણ એ પહોંચે નહિ.” પરિગ્રહના ફંદામાં ફસાયેલાઓ પોતાના દ્રવ્યનો જો સદુપયોગ કરે, તો તેની પ્રવૃત્તિથી ઘણા પર ઉપકાર થઈ શકે એ વાત સાચી. પરંતુ તેમ છતાં એ મુનિથી વધુ ઉપકારી નહિ. મુનિપણાની કિંમત તો એનાથી કેટલાય ગણી વધારે છે. એક ભાગ્યશાળીએ લખ્યું હતું કે, “સાધુ કાંઈ ન કરી શકે, જ્યારે ગૃહસ્થ તો તીર્થ પર આપત્તિ આવે તો તરત એનો બચાવ કરી શકે છે. અમે ગૃહસ્થ હતા તો બચાવ માટે યુરોપ દોડીને ગયા વગેરે.” એમના હિસાબ આવા છે. આથી એ એમ નક્કી કરવા માંગે છે કે સાધુ કરતાં પણ ગૃહસ્થ ઊંચા, પણ આવા હિસાબ માંડનારને એ ખબર નથી કે મુનિ તો કરવાનું કરી ચૂકેલા છે, ગૃહસ્થ કર્યા વિના રહી ગયો છે, માટે એને એ બધું કરવાનું છે. બાકી આવા ખોટા હિસાબ મૂકનારાને ભાવપ્રાણની કિંમત નથી. દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત ઘણી ઃ
હજાર રૂપિયાની થેલી મોટી, એનો ભાર વધારે, એને ઉપાડવા મજૂર જોઈએ અને પાંચ-દશ રતીનો હીરો નાનો, વજનમાં હલકો, વીંટીમાં રહી શકે પણ એ કીમતી વધારે રૂપિયા ગણતાં કલાકો થાય, આંગળાં દુઃખવા આવે,