SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ 1557 ૨૫ : દયાની ઓળખ – 105 - ૩૭૯ ભૂખ-તરસના દુઃખનો અનુભવ સૌને છે. અંશે પણ દુઃખનો અનુભવ સૌને થયો હોય છે. કોઈને દીન જોઈને દ્રવ્યદયા સૌને આવે, કંપારી પણ આવે; પણ ભાવદયા તો કોઈકને જ આવે. ભાવદયામાં દ્રવ્યદયા પણ હોય. મુનિને માત્ર ભાવદયા, જ્યારે ગૃહસ્થને ભાવદયા સાથે દ્રવ્યદયા પણ હોય. અમુક પ્રકારની સહાયથી કોઈ આત્માની ઉન્નતિ થતી હોય તો ગૃહસ્થ તે માટે દ્રવ્યસહાય પણ કરી શકે છે. સુપાત્રે દાન આપતા મુનિને દાન દેતાં ગૃહસ્થ વિચારે કે ભાવદયાના નિર્મળ ઝરણારૂપ આ મુનિ મારા અન્ન પાણીની સહાયથી કર્મક્ષયની સાધના સારી રીતે કરે અને એમની દેશનાથી અનેક આત્માનું કલ્યાણ થવા સાથે મારો પણ વિસ્તાર થાઓ. અનુકંપા વિના એક પણ ધર્મક્રિયા નથી ? અનુકંપા વિના એક પણ ધર્મક્રિયા નથી. શાસ્ત્ર ભક્તિના અર્થમાં પણ અનુકંપા શબ્દનો પ્રયોગ કર્યો છે. સુપાત્રમાં પણ ભાવદયા ઘટે; પોતાના આત્માની દયા પણ ત્યાં ઘટે છે ને ? જ્યાં ઘટે તે ઘટાવવું, ભક્તિને અનુકંપાનું રૂપક આપી શકાય. એક આત્મા ધર્મમાં આગળ વધવા ઇચ્છતો હોય પણ સહાય વિના સીદાતો હોય, એને ગૃહસ્થ દ્રવ્યસહાય કરી શકે છે. ગૃહસ્થને આ રીતે ભાવદયામાં દ્રવ્યદયા પણ આવે છે. મુનિ કેવળ ઉપદેશ જ આપી શકે, દ્રવ્યનો તો પોતે ત્યાગ ર્યો છે, ત્યાં આપે કયાંથી ? દુન્યવી તમામ ક્રિયાનો ત્યાગ કરી કર્મક્ષયની ક્રિયા કરનારને ભગવાનની આજ્ઞાનું પાલન એ જ દાનાદિક છે. ત્યાં પણ સ્વ-પરની ભાવદયા તો છે જ. દયા જેમ ધર્મનું મૂળ છે તેમ ધર્મનું ફળ પણ છેઃ ગૃહસ્થ મુનિને અન્નદિ આપે ત્યાં ભાવના તો એ જ કે “આ મુનિ ખૂબ સંયમની સાધના કરે.” મુનિના પાત્રમાં ઘીની ધાર કરતી વખતે ગૃહસ્થ શું ઇચ્છે ? પોતાના સગા દીકરાને ન આપે અને પોતે પણ ન ખાય, તેવું અને તેટલું, મુનિના પાત્રમાં વહોરાવે તે વખતે એની ભાવના કઈ હોય ? “આ મહાત્મા સંયમ સાધી રહ્યા છે. અને એ જ્યાં જાય ત્યાં આ શરીરથી અનેકના ઉપર ઉપકાર કરે છે માટે મને પણ તેમાં કાંઈક હિસ્સો મળે', આ ભાવના છે ને ? અનેક આત્માઓનું મુનિના તે શરીરથી કલ્યાણ થાય એ ભાવનામાં બીજા આત્માઓ પ્રત્યે પણ ભાવદયા છે અને પોતાની ભાવદયા તો છે જ. દયા જેમ ધર્મનું મૂળ છે તેમ ધર્મનું ફળ પણ છે. ધર્મના મૂળમાં પણ દયા છે, ધર્મની કાર્યવાહીમાં પણ દયા છે અને ધર્મના પરિણામે પણ દયા છે. દયાના સ્વરૂપની આ સ્થિતિ છે. જેના પ્રત્યે દયા કરી તેની તો દયા છે જ પણ તેમાં
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy