________________
૩૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1566
તપસ્વી મહાત્માઓ પણ રહે. તપસ્વી તે કે જે અહિંસામાં સ્થિર હોય. અહિંસારૂપી ગુફામાં સ્થિર ન ૨હે તે તપસ્વી નથી. શ્રીસંઘરૂપ મેરૂશૈલીમાં રહેલી અહિંસારૂપ ગુફાઓમાં કર્મરૂપ શત્રુનો જય ક૨વા માટે મદોન્મત્ત બનેલા ઉદ્દામ બનેલા અને શાક્યાદિ કુમતરૂપી હરણીઆંઓને ત્રાસ પમાડનારા સિંહરૂપી મુનિઓનો નિવાસ છે. મેરૂની ગુફામાં સિંહના વાસથી ક્ષુદ્ર જંતુઓ એમાં પેસી શકતાં નથી, તેમ અહિંસારૂપી સુંદર ગુફા કે જે સ્વ-૫૨ને શાંતિ આપનારી છે - તે ગુફામાં કર્મરૂપી શત્રુના જય માટે અભિમાની બનેલા મુનિઓ વસે છે, કે જેઓ એ કર્મરૂપી શત્રુ પર જય મેળવવાના પ્રયત્નમાં આડે આવનારા હરણીઆંઓને ત્રસ્ત કરવા માટે સિંહ જેવા છે.
સ્વદયામાં પરદયા રહેલી છેઃ
મેરૂમાં જેમ ગુફાઓ ઠામઠામ હોય તેમ શ્રીસંઘમાં જીયાની વાતો ઠામઠામ હોય જ. કોઈ પણ ક્રિયાના ઊંડાણમાં જીવદયા જ છે. જીવદયા વિનાની એક પણ ક્રિયા શ્રી જૈનશાસનમાં ન હોય. દયા સ્વ-પર ઉભયની હોય. પોતાના આત્માની દયા જેને ન હોય તે શ્રી જિનેશ્વરદેવે કહેલ એક પણ અનુષ્ઠાન સાચી રીતે સેવી શકતો નથી. પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ આદિ દરેક ક્રિયામાં સ્વદયા જ છે. શાસ્ત્ર કહે છે કે પોતાના આત્માની દયામાં પરની દયા રહેલી જ છે. જ્યાં પોતાની દયા નથી ત્યાં પરદયાની ભજના છે. સ્વદયાના લક્ષ્ય વિના માત્ર મંદિર તથા ઉપાશ્રયને શોભાવવા માટે જ આવનારાની અને પોતાનાથી જ ધર્મનો ટકાવ માનનારાની ધર્મક્રિયાની કશી જ કિંમત નથી. ક્રિયા માત્ર પોતાના આત્માની દયા માટે છે, જેમાં પરની દયા આવી જાય છે. પ૨ની દયા ક૨વા નીકળેલો જો સાચા ભાવે નીકળ્યો હોય તો એમાં સ્વદયા નિયમા છે. ખરેખર એ દયા કરવા નીકળ્યો છે કે નહિ તે જોવું જોઈએ.
દ્રવ્યદયા અને ભાવદયા :
દયાના બે પ્રકાર છે; દ્રવ્યદયા અને ભાવદયા. ભાવદયામાં દ્રવ્યદયા રહેલી છે, જ્યારે, દ્રવ્યદયામાં ભાવદયાની ભજના છે. દ્રવ્યદયા બે રીતે થાય છે. પૌદ્ગલિક રીતે અને આત્મિક રીતે. ભાવદયા માત્ર આત્મિક રીતે જ થાય છે. દ્રવ્યપ્રાણ બચાવવા તે દ્રવ્યદયા અને ભાવપ્રાણ બચાવવા તે ભાવદયા. ખાનપાન તથા વસ્ત્રાદિવિહીન કોઈને જોઈને દયા આવે તે દ્રવ્યયા. ધર્મહીનને જોઈને દયા આવે તે ભાવદયા. દ્રવ્યદયા તો દુનિયામાં ઘણાને હોય છે ઃ ભૂખ્યા-તરસ્યાને જોઈને દયા તો રસ્તે ચાલનારાને પણ આવે, કેમ કે,