________________
૨૫ : દયાની ઓળખ - 105
અનંત ઉપકારી સૂત્રકા૨ પ૨મર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંધરૂપ મેરૂના પીઠ, મેખલા, ફૂટ તથા નંદનવનનું વર્ણન કરી ગયા. શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ પીઠ એટલી મજબૂત હોય કે એ કદી ડગે નહિ. શ્રીસંઘમાં રહેલી એક-એક વ્યક્તિને મૂળગુણ તથા ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ હોય. એ ગુણો પ્રત્યે પ્રેમ વિના નિયમધર બની શકાતું નથી, ચિત્તની ઉત્તમતા પ્રાપ્ત થતી નથી, કર્મનો ક્ષય થતો નથી, ચિત્ત ઉજ્વલ બનતાં નથી, સૂત્રાર્થનું નિરંતર સ્મરણ થતું નથી, ચિત્ત ઝળહળતાં બનતાં નથી અને એના વિના સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટી શકાતો નથી. એ સંતોષરૂપી નંદનવનમાં શીલની સુગંધી એવી હોય કે જેનો ભોક્તા દુનિયાને પણ સુવાસિત કરી શકે.
1565
૩૭૭
આજે તો પીઠનું જ ઠેકાણું નથી, મૂળગુણ અને ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ નથી, એ પ્રેમ વિના નિયમરૂપી સુવર્ણશીલાતલ હોય ક્યાંથી અને એના વિના ચિત્તરૂપી કૂટો ગોઠવાય કયાં ? આ બધા વિના સંતોષરૂપી નંદનવનનો આનંદ લાવવો ક્યાંથી ?
મેરૂ પર્વતમાં ગુફા તથા સિંહો
હવે ગ્રંથકાર જે પર્વતમાં ગુફા તથા સિંહો હોય છે, તેને શ્રીસંઘરૂપ મેરૂમાં ઘટાવે છે. શ્રીસંઘરૂપ મેરૂમાં ગુફાને સ્થાને જીવદયા છે, જે જૈનોમાં તો અતિ પ્રસિદ્ધ છે. જીવદયા શબ્દને તો જેનનું બચ્ચું પણ જાણે. દયાના જાપને તો ઘણા જપે છે. પણ દયાના સ્વરૂપથી ઘણા અજાણ છે. જીવનું સ્વરૂપ સમજાય તો દયા પળાય. હિંસા તો જીવની થવાની ને ? એ હિંસા કેમ થઈ ? ક્યારે થઈ ? એ બધું સમજાય તે દયા પાળી શકે. દયા પર પ્રેમ આવે તો જ સાચી દયાનાં પરિણામ હૃદયમાં જાગે.
જીવદયા રૂપ શ્રીસંઘમેરૂની ગુફા
જીવદયા એ શ્રીસંઘરૂપ મેરૂની સુંદર ગુફા છે. મેરૂમાં જેમ અનેક ગુફાઓ છે તેમ શ્રીસંઘરૂપ મેરૂમાં પણ જીવદયા રૂપ અનેક પ્રકારની ગુફાઓ છે. જ્યાં જાઓ ત્યાં ખૂણે ખૂણે દયારૂપી ગુફાઓ હોય જ. પહાડ પર બહાર ગમે તેટલો તાપ હોય પણ ગુફામાં ઠંડક હોય અને અંદર આવનારને ઠંડક મળે. એ જ રીતે જીવદયા પણ સ્વ-૫૨ નિવૃત્તિ એટલે કે શાંતિની હેતુભૂત છે. નિવૃત્તિ એટલે શાંતિ.
એ ગુફામાં રહે કોણ ?
હવે એ ગુફામાં રહે કોણ ? પહાડની ગુફામાં સિંહ આદિ જાનવરો રહે અને