________________
1207 - ૨ : મળશે બધું પણ માગશો શું ? - 82 – ૧૯
બીજાને તો ગૃહિલિંગ કે અન્યલિંગે પણ કેવળજ્ઞાન થાય પરંતુ શ્રી જિનેશ્વરને તો જિનપિંગે જ થાય. સંયમ લીધા વિના શ્રી જિનેશ્વરદેવો કેવળજ્ઞાની થાય જ નહિ. અન્યને પણ ગૃહિલિંગે કેવળજ્ઞાન થાય અને તરત મુક્તિમાં ન જાય, આયુષ્ય બાકી હોય તો સ્વલિંગમાં જ આવી જાય, ગૃહિલિંગમાં પછી ન જ રહે; કેમકે રાજમાર્ગ ન લેપાય, એવો ક્રમ છે.
સભા : “કેવળજ્ઞાનીને ઉપયોગ મૂકવો પડે ?
ના, ન મૂકવો પડે. આરીસાનો ગુણ જ એ કે એમાં બધી ચીજો એની મેળે પ્રતિબિંબિત થાય. કેવળજ્ઞાનમાં ત્રણે જગત સંક્રમિત થાય જ. કેવળજ્ઞાન પ્રગટ ક્યારે થાય ? મુક્તિ ક્યારે મળે ? એક પણ જડનો સંસર્ગ ન રહે ત્યારે. જડનો સંસર્ગ દૂર ક્યારે થાય ? ત્યાગ આવે ત્યારે. ધર્મની પરીક્ષાની આ જડ છે.
આજના લોકો કહે છે કે-“ધર્મ કરવા માટે ત્યાગની શી જરૂર છે ?' પણ ત્યાગ વિના ધર્મ શી રીતે ? અનંતા આત્માઓ મુક્તિએ ગયા તે જડના સંસર્ગથી છૂટવાથી જ. આપણે નથી છૂટ્યા માટે તો સંસારમાં ભટકીએ છીએ. પણ એ વાત આપણે જોઈ શકતા નથી. ભારે ચીજ ખસે નહીં પણ હલકી ચીજ તો વગર ઉડાડે ઊડે. એને ઊડવાનું કહેવું ન પડે. લોઢાની પાંચશેરી પડી હોય તે પવનના ઝપાટે પણ ન ઊડે, પરંતુ રૂના પૂમડાને ઉડાવવા મહેનત કરવી ન પડે. એ તો સ્વયં ઊડવા માંડે. એ જ રીતે આત્મા કર્મના ભારથી હલકો થાય એટલે મુક્તિએ પહોંચવાનો જ. .
આચારાંગમાંથી આપણે સંઘના વર્ણનમાં આવ્યા, કેમકે જે તે “અમે સંઘઅમે સંઘ એમ કહેવા લાગ્યા માટે આ પ્રકરણ કાઢવાની જરૂર પડી. “અમે સંઘ” એમ બોલનારને કહેવું પડે કે-ભાઈ ! તને કોઈ સંનિપાતનો રોગ તો લાગુ પડ્યો નથી ને ? યોગ્ય આત્મા “હું-હું' ન કરે. “હું જિન છું માટે મને પૂજો એવું શ્રી જિનેશ્વરદ્વને કહેવું પડે ? એ તારકો દેવલોકમાંથી ચ્યવે અને માતાના ગર્ભમાં આવે ત્યારથી એમની બધી ચિંતા ઇંદ્રોને. એ ક્યાં ઉત્પન્ન થયા ? નીચા કુળમાં કેમ ઉત્પન્ન થયા ? થયા તો હવે શું કરવું ? એ બધી ચિંતા ઇંદ્રો રાખે. ગુણવાન આત્માને “હું કે અમે” કહેવાની જરૂર નથી. જે પૂજાવા માગે છે તે પૂજ્ય નથી, એ લખી રાખો. પૂજાવાની ઇચ્છા એ તો પૂજ્યતાનું કલંક છે; એ જેનશાસનનો રૂઢ કાયદો છે.
સભા: અંતકૃતુ કેવળી થાય એના કેવળજ્ઞાનની ખબર પડે ?
દેવતા આવે અને મહોત્સવ કરે તેથી ખબર પડે. કેવળજ્ઞાન થાય ત્યારે મોટા ભાગે દેવતા આવે છે, પરંતુ કોઈ ગૃહસ્થને કેવળજ્ઞાન થાય અને