SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 1207 - ૨ : મળશે બધું પણ માગશો શું ? - 82 – ૧૯ બીજાને તો ગૃહિલિંગ કે અન્યલિંગે પણ કેવળજ્ઞાન થાય પરંતુ શ્રી જિનેશ્વરને તો જિનપિંગે જ થાય. સંયમ લીધા વિના શ્રી જિનેશ્વરદેવો કેવળજ્ઞાની થાય જ નહિ. અન્યને પણ ગૃહિલિંગે કેવળજ્ઞાન થાય અને તરત મુક્તિમાં ન જાય, આયુષ્ય બાકી હોય તો સ્વલિંગમાં જ આવી જાય, ગૃહિલિંગમાં પછી ન જ રહે; કેમકે રાજમાર્ગ ન લેપાય, એવો ક્રમ છે. સભા : “કેવળજ્ઞાનીને ઉપયોગ મૂકવો પડે ? ના, ન મૂકવો પડે. આરીસાનો ગુણ જ એ કે એમાં બધી ચીજો એની મેળે પ્રતિબિંબિત થાય. કેવળજ્ઞાનમાં ત્રણે જગત સંક્રમિત થાય જ. કેવળજ્ઞાન પ્રગટ ક્યારે થાય ? મુક્તિ ક્યારે મળે ? એક પણ જડનો સંસર્ગ ન રહે ત્યારે. જડનો સંસર્ગ દૂર ક્યારે થાય ? ત્યાગ આવે ત્યારે. ધર્મની પરીક્ષાની આ જડ છે. આજના લોકો કહે છે કે-“ધર્મ કરવા માટે ત્યાગની શી જરૂર છે ?' પણ ત્યાગ વિના ધર્મ શી રીતે ? અનંતા આત્માઓ મુક્તિએ ગયા તે જડના સંસર્ગથી છૂટવાથી જ. આપણે નથી છૂટ્યા માટે તો સંસારમાં ભટકીએ છીએ. પણ એ વાત આપણે જોઈ શકતા નથી. ભારે ચીજ ખસે નહીં પણ હલકી ચીજ તો વગર ઉડાડે ઊડે. એને ઊડવાનું કહેવું ન પડે. લોઢાની પાંચશેરી પડી હોય તે પવનના ઝપાટે પણ ન ઊડે, પરંતુ રૂના પૂમડાને ઉડાવવા મહેનત કરવી ન પડે. એ તો સ્વયં ઊડવા માંડે. એ જ રીતે આત્મા કર્મના ભારથી હલકો થાય એટલે મુક્તિએ પહોંચવાનો જ. . આચારાંગમાંથી આપણે સંઘના વર્ણનમાં આવ્યા, કેમકે જે તે “અમે સંઘઅમે સંઘ એમ કહેવા લાગ્યા માટે આ પ્રકરણ કાઢવાની જરૂર પડી. “અમે સંઘ” એમ બોલનારને કહેવું પડે કે-ભાઈ ! તને કોઈ સંનિપાતનો રોગ તો લાગુ પડ્યો નથી ને ? યોગ્ય આત્મા “હું-હું' ન કરે. “હું જિન છું માટે મને પૂજો એવું શ્રી જિનેશ્વરદ્વને કહેવું પડે ? એ તારકો દેવલોકમાંથી ચ્યવે અને માતાના ગર્ભમાં આવે ત્યારથી એમની બધી ચિંતા ઇંદ્રોને. એ ક્યાં ઉત્પન્ન થયા ? નીચા કુળમાં કેમ ઉત્પન્ન થયા ? થયા તો હવે શું કરવું ? એ બધી ચિંતા ઇંદ્રો રાખે. ગુણવાન આત્માને “હું કે અમે” કહેવાની જરૂર નથી. જે પૂજાવા માગે છે તે પૂજ્ય નથી, એ લખી રાખો. પૂજાવાની ઇચ્છા એ તો પૂજ્યતાનું કલંક છે; એ જેનશાસનનો રૂઢ કાયદો છે. સભા: અંતકૃતુ કેવળી થાય એના કેવળજ્ઞાનની ખબર પડે ? દેવતા આવે અને મહોત્સવ કરે તેથી ખબર પડે. કેવળજ્ઞાન થાય ત્યારે મોટા ભાગે દેવતા આવે છે, પરંતુ કોઈ ગૃહસ્થને કેવળજ્ઞાન થાય અને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy