SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1206 ન લાગે. એ તો ઊલટું “ઉપાધિ ઓછી' એમ માને, મુદ્દો એ છે કે પીઠ પોલી ન જોઈએ. ધર્મમાં શંકા અનેક પ્રકારે થાય છે. મિથ્યાત્વના ઉદયથી પણ થાય, અણસમજથી પણ થાય અને ઉતાવળથી પણ થાય. માટે તો શાસ્ત્રકાર ધર્મક્રિયામાં અત્યંત શાંત અને ધીર બનવાનું ફરમાવે છે. ઉતાવળથી શંકા આવે એ તો “આવી કે તરત દૂર થઈ એવા પ્રકારની થાય. વળી ધર્મનું ફળ મળશે કે નહીં મળે ? એવા પ્રકારની એ શંકા નથી. વળી ધર્મનું ફળ કઈ રીતે મળે ! એ વગેરે સમજવા માટે થતી જિજ્ઞાસા રૂપ શંકા એ દોષ નથી. સર્વજ્ઞના વચનમાં શંકા કેમ નહિ ? સર્વજ્ઞના વચનમાં શંકા નહિ કરવાનું કારણ એ છે કે-એમણે જે કહ્યું, એ જ પોતે આચર્યું અને બીજા ન આચરી શકે તે રીતે આચર્યું. શાસ્ત્રકારો કહે છે કે શ્રી જિનેશ્વરદેવનું જીવન તો શ્રી જિનેશ્વરદેવો જ જીવે એમના જેવું દાન એ જ દે, એમના જેવું શીલ એ જ પાળે, એમના જેવો તપ એ જ કરે અને એમના જેવા ભાવ એમને જ આવે. એમની આચરણા આચરવા બીજા સમર્થ નથી. એ જ ભવમાં મુક્તિએ જનારા આત્માઓ પણ શ્રી જિનેશ્વરદેવે કર્યું તે ન કરી શકે. ભગવાને પોતે જીવનમાં એ આચરણા ઉતારી, ઘાતકર્મનો ક્ષય કર્યો, કેવળજ્ઞાન પામ્યા, જ્ઞાનમાં બધું જોયું અને પછી જ માર્ગ ફરમાવ્યો છે. હવે શંકાનું શું કારણ છે ? આંધળાને કોઈ દેખતો કહે કે-“થોભી જા ! નહિ તો થાંભલો વચ્ચે છે માટે માથું ભટકાશે !' ત્યાં આંધળો કહે કે-“તને થાંભલો દેખાય છે તો મને કેમ ન દેખાય ?' ત્યારે દેખતાએ કહેવું પડે કે “ભાઈ ! તું આંધળો છે તેથી તને નહિ દેખાય.' આ શાસનની ખૂબી એ છે કે શ્રી જિનેશ્વરદેવો પણ કેવળજ્ઞાન થયા પછી જ દેશના આપે છે, પહેલાં નથી આપતા. આખી દુનિયાને તરવાનો રસ્તો બતાવનારના હાથે કદી ફેરફાર બોલાઈ જાય તો ? માટે પહેલાં કદી કહેતા નથી. ઊંચામાં ઊંચા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ હોય પણ કેવળજ્ઞાન પાસે તો આ ચારેય જ્ઞાન ભેળાં કરો તોયે બિંદુતુલ્ય છે. આપણી અપેક્ષાએ પૂર્વના મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની એ મહાજ્ઞાની ખરા પણ કેવળજ્ઞાનીની અપેક્ષાએ એમનું જ્ઞાન કાંઈ નથી. માટે કેવળજ્ઞાન થયા પહેલાં શ્રી જિનેશ્વરદેવો દેશના દેતા નથી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy