SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1552 નાશ વખતે ધર્મને ગુસ્સો આવે જ. એ વખતે કોઈ ગુસ્સાખોર કહે તો રાજી થાય અને કહે કે, “આવો ગુસ્સો કરવા માટે તો મેં જન્મ લીધો છે. દુનિયાના રંગરાગ, બૈરાં-છોકરાં, કુટુંબકબીલા અને પૈસાટકા માટે તો આજ સુધી ગુસ્સો કરવાનું આદર્યું છે. હવે ગુસ્સાની દિશા પલટી છે. જે કોઈ કહે કે, “અમે આવા ઝઘડા કરવા નથી માગતાં તેમને કહે કે અનાદિકાળથી ઝઘડા કરતા આવ્યા છો. આજ સુધી ખોટા ઝઘડા કર્યા તો હવે ખરા ઝઘડા કરવાના સમયે પાછી પાની કેમ કરો છો ? ઘણા વળી કહે છે કે, “ધર્મમાં ઝઘડો હોય ? શાસ્ત્ર કહે છે કે, ધર્મી ધર્મ માટે ઝઘડા કરે જ. મીઠું જ સંભળાવવું એવો મારો નિયમ નથીઃ કામશાસ્ત્ર કહે છે કે યુવતી જોઈને જેને વિકાર ન થાય તે કાં તો યોગી અને કાં તો પશુ; એ જ રીતે ધર્મશાસ્ત્ર કહે છે કે દેવ ગુરુધર્મની અપભ્રાજના, માર્ગની નિંદા અને માર્ગના નાશ વખતે જેને ગુસ્સો ન આવે તે કાં તો વીતરાગ અને કાં તો ધર્મહીન. જો તમે બધા વીતરાગ હો તો તમને હાથ જોડું. વીતરાગ ન હો અને ગુસ્સો પણ ન આવતો હોય તો ધર્મહીન કહું ને ? વખતે તિરસ્કાર પણ કરું. મીઠું જ સંભળાવવું એવો મારો નિયમ નથી. નવા શ્રોતાઓ માટે મારી પરીક્ષા જુદી છે. ઉપરાઉપરી પાંચ-દશ વાત કરડી કહું, એમાં જો એનું મોં બગડતું જોઉં તો એનો પારકો માની પછી કાંઈ ન કર્યું અને એના મોં પર જો ઉલ્લાસ જણાય તો એને પોતાનો એટલે શાસનનો અને ઉપયોગી માનું. સાચામાં કટુતા રહેલી છે? શ્રી જિનેશ્વરદેવ કદી અસત્ય બોલ્યા નથી, પછી ત્યાં શ્રદ્ધા કેમ નહિ ? સાચામાં કટુતા રહેલી છે. સાકરના પાણીએ દર્દ ન જાય. પણ માથાના વાળ ઊખડે તેવા ઉકાળાથી દર્દ જાય. મુનિની દેશના પણ એવી હોય કે સાંભળનારના માથાના વાળ ઊંચા થઈ જાય અને હૈયામાં ખળભળાટ થઈ જાય; પણ તમે મને હાથ મૂકવા દ્યો તો ને ? સાચી વસ્તુ પર આપત્તિ આવે ત્યારે સત્યના પ્રેમીને ગુસ્સો આવે જ. મુનિ વંદનાને વિપ્ન માને? | મુનિ તો વંદનાને વિપ્ન માને. મુનિ જો વંદનામાં મૂંઝાયો તો એ મૂઓ સમજવો. એ તો વંદના પોતાને નહિ પણ સંયમને માને અને જે સંયમને આખી દુનિયા વાંદે છે તેને પોતે ખૂબ મક્કમતાથી સેવવું જોઈએ એમ માને. એ સંયમ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy