________________
1559
૨૪ ઃ શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો
૩૭૧
છઠ્ઠ-અઠ્ઠમ-ઉપવાસ વગેરે તારાથી ન થતા હોય અને દાતણ કર્યા વિના ન રહી શકતો હોય, તો દાતણ આ વિધિથી કર કે જેથી ધર્મ સચવાય. જ્યાં જીવજંતુ ન હોય ત્યાં અને વિશેષ જીવાત વગરનાં દાતણ કર.' હવે આ વિધિ કહી તેનો અર્થ એવો કરે કે ‘શાસ્ત્રકારોએ દાતણની છૂટ આપી છે તો એ ચાલે ? શાસ્ત્ર વનસ્પતિ ખાવાની છૂટ આપી નથી :
-
104
કેટલાક કહે છે કે બટાટાની મના છે તે બરાબર છે. પણ ભીંડા વગેરેની તો છૂટ છે ને ? તો આવી છૂટ કોણે આપી ? જ્ઞાની કહે છે કે જો તું બધી વનસ્પતિ છોડે તો તે ઉત્તમ પણ ન છોડી શકે તો અનંત કાયને તો છોડ ! પણ એનો અર્થ એ નથી કે તમને પ્રત્યેક વનસ્પતિની છૂટ આપી. ભીંડા વગેરે વનસ્પતિ ન ખાય તે સારા કે ખોટા ? પુસ્તકમાંથી આવું આવું કાઢીને લઈ આવે ત્યારે કહેવું પડે કે ‘ભાઈ ! તું જાતે ન વાંચ પણ ગુરુ પાસે ધારીને વાંચ.’ આવું કહીએ ત્યારે એ કહે છે કે ‘હું કક્કો બારાખડી ભણ્યો છું અને વાંચવા આંખો મળી છે. પછી કોઈની ગુલામી શા માટે કરું ?' આવી દશા હોય ત્યાં જ્ઞાન પામે ? જો કક્કો ભણી ગયે વિદ્વાન થવાતું હોત તો બધા નિશાળે શા માટે જાય છે ? એ. બી. સી. ડી. ભણ્યું ભાષા શીખી જવાતી હોય તો હાઈસ્કૂલ અને કૉલેજની જરૂ૨ ક્યાં રહી ? કક્કો બારાખડી શીખીને અને શબ્દકોશ વાંચીને જ બધા વિદ્વાન ન થઈ જાય ! કૉલેજમાં પણ પ્રોફેસર બોલે તે વિદ્યાર્થીને સાંભળવું પડે છે. છૂટાંછવાયાં વાક્યો વાંચી જવાથી ગ્રંથના ભાવ ન નીકળે. વ્યવહારમાં શિક્ષક કે પ્રોફેસ૨ની નિશ્રા લેવી પડે તેમ અહીં પણ ગુરુગમ જોઈએ. પરંતુ અહીં ગુરુગમની વાત કરીએ ત્યારે કહે કે ‘શું અમારી બુદ્ધિ ગીરવે મૂકી છે ?' હવે આવાને શું કહેવું ? અર્થકામની વિદ્યામાં નિશ્રા ખરી અને મોક્ષની વિદ્યામાં નિશ્રા જ નહિ ? દરેક ગ્રંથ ભણો, વાંચો પણ તે ગુરુનિશ્રાએ. શંકા પડે ત્યાં. પૂછો. એમ ને એમ આગળ ન વધો. ઉપદેશકની પણ કસોટી કરી સાંભળોઃ
આવા ગુરુગમ વિના જાતે ભણેલાઓને ઓળખી લો. એ રાસ કે ગ્રંથ વાંચે ત્યાં એમની નજર રિદ્ધિ સિદ્ધિ સામે હોય. એમને પૂછો કે, ‘રાસ શા માટે વાંચો છો ? શ્રોતાઓને શું સમજાવવું છે ?' એ બધું પૂછો એટલે સાચી વાત આપોઆપ નીકળી આવશે. ઉઠાવગીર ગ્રાહકને જ્યાં વેપારી ઉપરાઉપરી પાંચદશ પ્રશ્ન પૂછે કે, ‘કયું ગામ ? શું નામ ? શો વેપાર ? શી આવકજાવક ?’ એટલે આપોઆપ પેલો ચાલતી પકડે. જેને તેને માલ કાઢીને બતાવવા ન મંડી પડાય. સાધુ માટે પણ આવો કાયદો રાખો. મને પણ પૂછો. તમે સાધુને કહો કે,