________________
1557 - ૨૪ઃ શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો – 104 - ૩૬૯ ક્ષમા જેમ ગુણા છે તેમ અસ્થાને ક્ષમા એ દુર્ગુણ છે:
જે માણસો આવા મજેના રાસ વાંચવા છતાં લોકવિરુદ્ધ અને લોકવિરોધના ભેદને ન સમજે, લોકરીમાં તણાય અને શાસ્ત્રની પંક્તિઓના ફાવે તેમ અર્થ કરે, એવાની પાસે રહેવું. એમને સાંભળવા, એમને સહકાર આપવો, એમને પુષ્ટિ આપવી એ બધું ઇરાદાપૂર્વક ધર્મનો નાશ કરનારું આચરણ છે. ઘણા કહે છે કે એ બધું ખરું પણ અમુક ગુણ તો એમનામાં પણ છે ને ? હું કહું છું કે ગુણ તો અહીં પણ નથી ? નામના ગુણોને આગળ કરીને ભવિષ્યના પરિણામને ન વિચારવાની મૂર્ખાઈ ન કરાય. ક્ષમા એ જેમ ગુણ છે તેમ અસ્થાને ક્ષમા એ દુર્ગુણ પણ છે, વિચારવાનું કે નહિ ? ક્ષમાની પણ મર્યાદા સમજવી જોઈએ. જ્ઞાની કહે છે કે જેના યોગે ક્ષમા મળી તેના જ નાશ વખતે પણ ક્ષમા ધારણ કરનારો મૂર્ખ છે. જે આગમના યોગે ક્ષમાની પ્રાપ્તિ તે જ આગમના નાશ વખતે પણ ક્ષમા ? એ ક્ષમા ગુણ નથી પણ ભયંકર દુર્ગુણ છે. શરીર માટે લક્ષ્મી, પણ એ શરીરની ખાનાખરાબી વખતે પણ લક્ષ્મી ના ખર્ચે અને સાચવી રાખે એ કેવો ? ડૉક્ટર કહે કે “તાત્કાલિક ઓપરેશન કરવું પડશે નહિ તો ખેલ ખલાસ છે, પાંચ હજારનો ખર્ચો થશે. નક્કી કરીને જણાવો.” ત્યારે પેલો કહે છે કે “એ નહિ બને, પૈસા તો સાથે રાખીને જ મરીશ.” તો એ કહેનારો કેવો સમજવો ? આ ગ્રંથકારો જેટલા થયા, એમની ક્ષમા તથા શાંતિનો છેડો ન હતો. એમણે જાત પરના આક્રમણ વખતે પૂરી ક્ષમા અને શાંતિ રાખી. પરંતુ જ્યારે ધર્મ પર કે આગમ પર હલ્લો આવ્યો ત્યારે પોતાની તમામ શક્તિ - ખર્ચીને પ્રતિકાર કર્યો છે; તે વખતે ક્ષમાના જાપ જપવા નથી બેઠા. - દરેક વસ્તુને મર્યાદા હોય?
છોકરા પર બાપનો પ્રેમ ખરો પણ એ ક્યાં સુધી ? છોકરો ઘર સાચવતો હોય ત્યાં સુધી તો બાપ એને સાચવે પણ એ જો ઘરમાં આગ લગાડવાનું કામ કરે તો બાપ એને મારીને કાઢી મૂકે ને ? એવું કરે ત્યાં બાપનો પ્રેમ ચાલ્યો ગયો એમ ન કહેવાય. દરેક વસ્તુને મર્યાદા હોય. જો એવી મર્યાદા ન હોય તો રક્ષણીય વસ્તુનું રક્ષણ ન થાય. રક્ષણીયનો નાશ થતો હોય ત્યારે રક્ષાના પ્રયત્નો દાબી રખાય નહિ. કર્મક્ષયના સાધનને કર્મબંધનાં સાધન બનાવાય નહિ. કેટલાક ભોળાઓ એવી ખોટી ક્ષમા અને શાંતિમાં અંજાઈ જાય છે અને કહે છે કે, “આની આંખમાં જરા પણ લાલાશ નથી આવતી.' શેની આવે ? ઓરમાન માની આંખમાં આંસુ ન આવે, કદી આવે તો એ ઢોંગનાં આંસુ હોય, સાચાં ન હોય. છોકરો મરવા પડ્યો હોય ત્યારે ઢોંગ તો એ પણ કરે પણ સગી માના હૈયામાં તે