________________
૩૬૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1556 શ્રી જિનેશ્વરદેવના વચનનો પક્ષ સ્થાપ્યો ત્યાં લોકનો વિરોધ ન હતો ? જન્મ આપનાર અને પાળી પોષીને મોટી કરનાર બાપનો જ વિરોધ હતો, આખી સભામાં એની સાથે કોઈ ન હતું. “મારું ભણાવેલું આણે બરાબર ટકાવ્યું આવું માનનાર માત્ર તેનો ઉપાધ્યાય હૈયાથી ખુશ હતો. પરંતુ રાજાના ગુસ્સા સામે એ પણ બોલવાની હામ કરે તેમ ન હતું. લોકોએ પણ મયણાને ઉશ્રુંખલ કહી અને ત્યાં સુધી કહ્યું કે એને ભણાવનાર પાઠક કેવો મળ્યો! જેની પાછળ જવું હોય તે મહાન તો જોઈએ ને? '
મારા ગુરુની નિંદા થાય છે માટે નમતું મૂકું એવું મયણાસુંદરીને તે વખતે ન થયું. લોકવિરોધથી એ જરા પણ ગભરાઈ નથી. “જયવીયરાય” સૂત્ર ત્યારે ... પણ હતું. તો વિરૂદ્ધડ્યા તે વખતે પણ બોલાતું હશે ને ? એ પદથી લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ જ્ઞાનીઓએ ફરમાવ્યો છે પણ લોક વિરોધ કરે એ બધાં કાર્યોનો નહિ, એટલું પણ એ રાસ વાંચનારાઓ મયણાસુંદરીના દૃષ્ટાંતથી કેમ સમજી શકતા નથી ? આ શાસ્ત્ર જેમ લોકવિરુદ્ધનો ત્યાગ કરવાનું કહ્યું તેમ, લોકરીનો પણ ત્યાગ કરવાનું કહ્યું છે. લોક જે માર્ગે જાય તે માર્ગે સારાસારનો વિચાર કર્યા વગર જે જાય તે મૂર્ખમાં ખપે. સમ્યગુદૃષ્ટિ કદી લોકહેરીમાં ન પડે. લોકના કહેવા મુજબ ચાલવાથી તો રામચંદ્રજી જેવા પણ ત્રણ-ત્રણ વખત આપત્તિમાં મુકાયા છે.
સભાઃ “પહાનનો યેન ાત: ૧ પંથ કહ્યું છે ને ?”,
એની ના નથી. અહીં લોકહેરીના ત્યાગની વાત છે: મહાજનો જે માર્ગે ગયા હોય તે માર્ગે ન જવાની વાત નથી; પણ જેની પાછળ જવું હોય તે મહાજન તો જોઈએ ને ? મહાજનને બદલે એ મહાઝુંડ થાય તો ?
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલે તે મહાજન; એથી વિપરીત ચાલે તે મહાઝેડ. અમુક કોમવાળા ભૂતને ઝંડ કહે છે. આજે તો તજવા યોગ્યને સ્વીકારવાની અને સ્વીકારવા યોગ્યને તજવાની વાતો ચાલે છે. લોકની પૂંઠે વિના વિચાર્યું ચાલ્યા તો માર્યા જવાના. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું છે કે કેવળ બહુમતીના માર્ગને સંમત થાય તો મનુષ્ય મટી નિગોદિયા થવું પડશે. પંચેન્દ્રિયમાંથી એકેંદ્રિયમાં જવું પડશે. દોરનાર કોણ અને દોરાનાર કોણ ? હાથી મોટો કે મહાવત મોટો ? નાનો પણ મહાવત મોટા હાથી પર ચડી બેસે છે અને એને દોરે છે. એકેંદ્રિય અને જડ એવો નાનો પણ હીરો રાજાના મસ્તકે ચઢીને બેસે છે અને એનાથી રાજા દીપે છે. આ બધા ભેદ સમજો અને લોકહેરીમાં ન ખેંચાઓ. શ્રી જિનાજ્ઞા મુજબ ચાલવામાં જ કલ્યાણ છે.