SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ 155૩ - ૨૪શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો - 104 – ૩૯૫ અંતર્મુર્તમાં બધાં પાપ બળીને ભસ્મ થાય ? જે આત્મા સામાયિક કરી પોતાની બે ઘડીને સફળ માને છે તે સાંભળે કે કોઈ જાવજીવનું સામાયિક લે છે, તો ત્યાં એને પ્રેમ ન થાય ? પ્રેમને બદલે ધાંધલ ધમાલ થાય તો સમજવું કે એના સામાયિકની કશી કિંમત નથી. ઘરબાર, કુટુંબ પરિવારની મમતા મૂકીને જે અહીં આવે છે તે નાનીસૂની વાત છે ? વગર પુણ્ય કે વગર ભાવનાએ કોઈ આવી શકે ? એ આવનારા માટે, જિંદગીભર સામાયિક, પૌષધ, પડિક્કમણા કરનારા છતાં પોતે નહિ છોડી શકનારા, ગમે તેમ બોલે અને એને શિર ન ઝુકાવે તો ત્યાં માની લો કે એને એના સામાયિક, પૌષધ કે પડિક્કમણાં ફળ્યાં નથી. સુદર્શન શેઠ તો આશ્ચર્ય પામ્યા છે અને હાથ જોડીને કહ્યું છે કે, “ધન્ય છે આને !” ભગવાનની દેશના તો એમને પણ ગમી હતી. પણ હજી ઘર છોડવાનો ઉલ્લાસ જાગતો નથી. અર્જુનમાળીએ મુનિપણું લીધું, પાળ્યું અને તે જ ભવે કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. સભા : “એટલી વારમાં બધાં પાપ બળી ગયાં ?” હા ! બાળતાં આવડવાં જોઈએ. લાકડાંના ગંજમાંથી બબ્બે લાકડાં કાઢીને બાળો તો એનો અંત ક્યારે આવે ? પણ એ ગંજમાં જ દેવતા મૂકો તો તરત ફેંસલો. દેવતા મૂકતાં આવડવો જોઈએ, નહિ તો અનંતાનંત કર્મોનો પાર ક્યારે આવે ? કદી ન આવે. જ્યારે જ્યારે ત્યારે અંતર્મુહૂર્તના એ પ્રકારના દવ વિના ચાલવાનું નથી. બે ઘડીના સંગ્રામમાં જ ખરી કસોટી છેઃ એ બે ઘડીના સંગ્રામમાં જ ખરી કસોટી છે. એના માટે જ આ બધી તૈયારી છે. એ માટે પ્રયત્ન કરનારા તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં અને એનાથી વિપરીત પ્રયત્ન કરનારા તે આજ્ઞા બહાર. સમ્યગૃષ્ટિની મહેનત એ માટે જ હોય. ત્યાં ન ટકોય તો બધી મહેનત માથે પડે. ત્યાં ટકવા માટે જ આ બધો અભ્યાસ છે. એ સંગ્રામ જ્યારે ત્યારે પણ કર્યા વગર છૂટકો છે જ નહિ; એના વિના મુક્તિ થવાની જ નથી. જે સુદર્શનના પગમાં પહેલાં અર્જુનમાળી પડ્યો હતો તે જ સુદર્શન હવે અર્જુનમાળીના પગમાં પડે છે. “મારાથી તું પામ્યો માટે હું તને કેમ નમું ?” એમ કહેવાનો સુદર્શનને અધિકાર નથી. કોટ્યાધિપતિનો નોકર બે કરોડનો માલિક ન થાય ? છતાં એ પોતે માને કે આ પ્રભાવ શેઠનો; પણ પેલો શેઠ હજી એને નોકર કહીને બોલાવવા જાય તો એ મૂર્ખમાં જ ખપે ને ? નોકર હતો ત્યારે હતો, હવે તો વધી ગયો ને ? જ્ઞાની કહે છે કે જેને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy