SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ --- 1552 એક સ્ત્રી મળી સાતનો ઘાત કરતો હતો. રોજ સવાર પડે અને સાતના પ્રાણ લે પછી જ એ જંપતો. રાજાને કાયદો કરવો પડ્યો, દાંડી પીટીને પ્રજાને જાણ કરવી પડી કે અર્જુનમાલી આ રીતે રોજ સાત જણનો ઘાત કરે છે માટે સવારે વહેલું કોઈએ ઘરની બહાર નીકળવું નહિ. અર્જુન માળી અને સુદર્શનઃ હવે એવામાં એકદા ભગવાન મહાવીરદેવ ત્યાં સમોસર્યા છે. સવારે વહેલા કોણ દર્શને જાય ? સૌને ભય છે. પ્રાણનો સંશય છે. સુદર્શન શેઠે ભગવાનનાં દર્શન કરવા જવાની માતા-પિતા પાસે આજ્ઞા માંગી. મા-બાપે ના પાડીને કહ્યું કે, “ભાઈ ! અહીં રહ્યા રહ્યા પ્રભુને વંદના કરો અને પ્રભુની સાંભળેલી દેશનાનું ચિંતન કરો.” સુદર્શન કહે છે કે, “પ્રભુ ઉદ્યાનમાં પધારે અને ક્ષુદ્ર પ્રાણના ભયથી દર્શન કરવા ન જવાય તો ભક્તિ શાની ? જેને શ્રી જિનેશ્વરદેવનું શરણ છે તેને કોઈ શું કરનાર છે ?” સુદર્શન પ્રભુનાં દર્શન માટે નીકળે છે. ગામ બહાર આવ્યા ત્યાં અર્જુનમાળી સામો આવ્યો. સુદર્શને એને જોયો. એના હાથમાંનું ભયંકર મુદ્ગર જોયું, જીવવાની હવે આશા ન હતી એટલે તરત અભિગ્રહ કર્યો કે, “જો આ આપત્તિથી બચાવ તો બધું ખુલ્લું નહિ તો અન્ન પાણીનો ત્યાગ અને પ્રભુનું શરણ.” એના સુવિશુદ્ધ ધ્યાનના તેજને યક્ષ ન સહી શક્યો એટલે નાસી ગયો, કે તરત અર્જુનમાલી મૂચ્છિત થઈને નીચે પડ્યો. થોડી વાર પછી ચેતના આવતાં સુદર્શનને પૂછ્યું કે, “તમે ક્યાં જાઓ છો ?” સુદર્શન કહ્યું કે, પ્રભુ મહાવીરદેવને વંદન કરવા અને પછી પ્રભુ કેવા છે, તેનું વર્ણન કર્યું. તે સાંભળી અર્જુનમાળી યક્ષનો પૂજારી મટી ભગવાન મહાવીરદેવનો રાગી બન્યો. બેય જણા હવે પ્રભુને વંદન કરવા જાય છે. બેમાંથી એક સમ્યગ્દષ્ટિ, જન્મથી જૈન અને પ્રભુનો પરમ શ્રાવક છે, જ્યારે બીજો જન્મથી માળી, મિથ્યાદૃષ્ટિ અને ઘાતકી છે. બંનેએ પ્રભુની દેશના સાંભળી. સુદર્શન શેઠ અણુવ્રતો લઈ શ્રાવકપણું અંગીકાર કરે છે. જ્યારે અર્જુનમાળી મહાવ્રતો ઉચ્ચારી મુનિપણું સ્વીકારે છે. “મને તો હજી મુનિપણાના ભાવ આવતા નથી અને આને મુનિપણું ?' એવું સુદર્શન ભગવાનને કહેતા નથી. આજે તો ઘણા જિંદગીભર સામાયિક, પૌષધ અને પડિક્કમણા કરનારા કહે છે કે “અમને હજી સુધી વૈરાગ્ય ન આવ્યો અને આને ચાર દહાડા દેરે ઉપાશ્રયે ગયો ત્યાં વૈરાગ્ય ?' આવું બોલનારાઓને શાસન પરિણમ્યું નથી. એમની ક્રિયા એ દંભ છે અને “અહં ભાવની પોષક છે. “જાવ નિયમ'ના પચ્ચખાણ પૂર્વક બે ઘડીની સામાયિક કરનારા, જાવજીવની સામાયિક કરનારને ઝૂકે નહિ તો એની સામાયિકની કિંમત શી સમજવી ?”
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy