SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ 155 ૨૩: સમશાનનું ફળ વિરતિ - 103 – – ૩૫૭ એ જ્ઞાનીઓની પરીક્ષા લેવાય તો ખબર પડે. મહાપુરુષોની રચેલી એકાદ પંક્તિ લઈ ગાયા કરે કે “શું મુંડે શું લોચે રે.” . પણ એ પંક્તિના રચનારાએ પોતે જ મુંડાવ્યું એનું એ બોલનારાને ભાન નથી. એ પંક્તિના રચનારા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા છે. એમણે દીક્ષા નાની વયમાં જ લીધી છે; અને આજે એમનાં વચન ટંકશાળી ગણાય છે, એમના વચન પર મદાર બંધાય છે, એમનાં વચનોની સાક્ષી અપાય છે. બાલ્યકાળમાં દીક્ષા લઈને જ્ઞાનાભ્યાસ કર્યો, તો તેઓ આ બધું પામ્યા ને ? પેલા પંક્તિ ગાનારાઓની જેમ પોસા, પડિકમણા કરવા ઘરમાં પડી રહ્યા હોત તો ? કહે છે કે, “એ તો પોસા પડિકમણા કરવા ઘરમાં રહ્યા છે. એમની વાત તો જુઓ ! ઘરમાં રહીને તો થાય ત્યારે કરે, કદી ન પણ કરે, જ્યારે સાધુને તો કાયમ છે. ઉપાધ્યાયજી મહારાજા તો ફરમાવે છે કે નાની વયના સાધુઓથી તો તીર્થ અવિચ્છિન્ન છે. એમણે એ પણ કહ્યું કે મિથ્યાદૃષ્ટિને દ્રવ્ય સમકિતનો આરોપ કરીને દીક્ષા આપી શકાય. જો બધામાં ભાવ ચારિત્ર જોવા જાય તો શાસનનો નાશ થાય. * માર્ગ નાશ પામશે તો શું થશે ? * . એ મહાત્મા વળી કહે છે કે જે મહાપુરુષ અવિધિનું ઉમૂલન કરી સર્વને વિધિમાં જોડી શકે તે પુણ્યવાનને તો ક્રોડ વંદન પણ વિધિમાર્ગ સ્થાપવાની તાકાત વિનાના આત્માઓ જો અવિધિએ ચાલતા ક્રિયામાર્ગનો લોપ કરે તો તે માર્ગના નાશક છે. માર્ગ હશે તો સુધારા પણ થશે અને સિદ્ધિ પણ થશે. પરંતુ માર્ગ ગયો તો શું થશે ? મંદિર, મૂર્તિ તથા આગમનાં પાનાં છે તો આપણે જૈન રહ્યા છીએ અને આટલું પણ કરીએ છીએ; એ ન હોત તો ? આપણા પૂર્વજો ઉદાર ન બન્યા હોત અને મૂર્તિ મંદિર ન સ્થાપ્યાં હોત તો આપણે શું કરત ? અત્યારે નવી મૂર્તિ ન ભરાવીએ તો જૂની લાવીને પણ પૂજીએ છીએ પણ, તે છે તો ને ? પૂર્વપુરુષો ગ્રંથો રચી ગયા તો વાંચીએ છીએ ને ? એ બધું ન હોત તો આપણે પણ ઊંધા માર્ગે જ હોત. ગુરુનિશ્રાએ જ્ઞાન ન ભણે તેને વાચના આપવાનો અધિકાર નથી ? ભક્તિ એ મોક્ષની દૂતિ છે. ભક્તિયોગ થઈ જતી અવિધિ અકિંચિત્કર છે. જો વિધિનો રસ હોય અને વિધિની ભાવના તથા વિધિની કાળજીથી ક્રિયા કરે તો એમાં રહી જતી અવિધિની કિંમત કાંઈ જ નથી. વજસ્વામી ઘોડિયામાં અગિયાર અંગ ભણ્યા હતા. સાધ્વીજી ગોખતાં હતાં તે સાંભળીને જાતિ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy