SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ 1541 · ૨૩ : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ 103 1 ૩૫૩ દ્રવ્ય ચારિત્ર એ જ ભાવ ચારિત્રનું કારણ : જે ભણેલો હોય તેને ભણતરના ફળ પ્રત્યે પ્રેમ ન હોય ? જ્ઞાનનું ફળ વિરતિ એટલે ચારિત્ર છે એમાં પણ દ્રવ્ય ચારિત્રથી ભાવ ચારિત્ર ઊંચું પણ એ ભાવ ચારિત્રનું કારણ તો દ્રવ્ય ચારિત્ર જ છે. ભાવ ચારિત્ર કોઈને હોય, દ્રવ્ય ચારિત્ર ઘણાંને હોય. પહેલાં દ્રવ્ય ચારિત્ર પછી ભાવ ચારિત્ર. ભાવ તો કોઈકને પહેલાં હોય. દ્રવ્ય યોગે ભાવ છે. અતિમુક્તક કુમારને નવ વર્ષે કેવળજ્ઞાન થાય છે. પણ તે પૂર્વે થોડીવાર પહેલાં નાવડી (નાની પાતરી) તરાવે છે. સ્થંડિલ ગયા છે ત્યાં કાચલી પાણીમાં તરાવે છે ને ? થોડીવાર પછી તો ભગવાનના વચનથી ઈરિયાવહી કરીને કેવળજ્ઞાન પામવાના છે એવાની પણ અત્યારે કઈ સ્થિતિ ? અપ્લાયનું પણ જ્ઞાન કે ભાન છે ? ભાવ મુનિપણું છે ? સ્થવિર મુનિઓ જે મહાવિદ્વાન અને ગીતાર્થ હતા એમણે ભગવાનને આ વાતની ફરિયાદ કરી. ત્યારે ભગવાને એમને ચૂપ રહેવાનું કહીને ફરમાવ્યું કે, ‘એ મહાત્માની આશાતના ન કરો.’ મુનિઓ તરત મૌન થયા. પાણીમાં નાવડી ચલાવનાર મુનિની આશાતના ન કરવાનું ભગવાન પોતે કહે છે. એ કેવળજ્ઞાનને પમાડનારા ભાવો વગેરે એ બાલમુનિને પણ આવે જ છે ને ? એમને પાપનો ભય છે. પાપનો ભય હોવો એ જેવું તેવું જ્ઞાન છે ? ભણવું એ પાપ ક૨વા માટે કે પાપથી ડરવા માટે ? પાપ કરવા જ ભણે એ કેવા ? અતિ મુક્તક જેટલો પાપનો ડર બીજાઓને પરિણમન નહોતો થયો એ ખુલ્લી વાત છે. ભગવાને પાપની આલોચનામાં ઈરિયાવહી કરવાનું એમને કહ્યું. બાળક છે પણ પ્રભુના વચન પર દૃઢ પ્રતીતિ છે. તરત જ વિચાર્યું કે ‘ભગવાને ઈરિયાવહીથી પાપ જાય એમ કહ્યું માટે એવી ઈરિયાવહી કરું કે પાપ જાય જ. ઈરિયાવહીનો અર્થ જાણતો નથી. બસ, ‘પાપ જાય’ એ જ ભાવનામાં ઈરિયાવહી કરે છે, ત્યાં જ શ્રેણિ માંડે છે. સઘળાં ઘાતિ કર્મો ખપાવી કેવળજ્ઞાન પામે છે. આ કેવી પરીક્ષા શોધી ! આજના કેટલાક પોતાના જ્ઞાનનું ઘમંડ ધરાવનારાઓ એવા છે કે પોતે કોઈ સ્તવન, સજ્ઝાય કે રાસ વગેરે વાંચ્યા હોય ગુરુગમથી નહિ પણ પોતાની મેળે જ વાંચ્યા હોય એમાંથી એકાદી આંટીઘૂંટીવાળી કડી લઈને સાધુ પાસે આવીને પૂછે અને સાધુએ પોતે એ ન વાંચી હોવાથી કદી ન સમજાવી શકે એટલે તરત પ્રમાણપત્ર ફાડે કે ‘લો સાધુ થયા ! જ્ઞાન તો છે નહિ' જાણે એ કડીમાં જ બધું જ્ઞાન આવી ગયું. આવા મિથ્યાભિમાનીઓ પોતાને શાની માને છે. કેવી પરીક્ષા શોધી ? આવાને બોલાવાય નહિ, એમને આગળ કરાય નહિ,
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy