SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ 1540 ૩૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કર્મગ્રંથ વગેરે ભણ્યા છીએ અને આ તો સાધુ બન્યા છતાં કાંઈ ભણ્યા નથી ને હજી ચાર દિવસ થયા દીક્ષા લીધી છે, એને અમે વાંદીએ ?' હું કહું છું કે લાખ વાર વાંચવા પડે. આટલું ભણ્યા તો હજી પડ્યા કેમ રહ્યા? કર્મગ્રંથ ભણનારા તો ઘણા ગબડી પણ ગયા. પ્રકરણો અને કર્મગ્રંથ ઘરે બેસી રહેવાનું કહે છે ? આટલું આટલું ભણ્યા છતાં સાધુપણું ન લઈ શક્યા માટે નીચા અને વગર ભણેલા સાધુપણું લઈ શક્યા માટે એ ઊંચા અને જ્ઞાની એમાં નવાઈ શી ? એક જ દેશનામાં વૈરાગ્યઃ શ્રી કૃષ્ણ મહારાજા તથા શ્રેણિક મહારાજા એમ નહોતા કહેતા કે, “ખુદ પ્રભુની દેશના કાયમ સાંભળનારા અમને વૈરાગ્ય નહિ અને આને એક જ દેશનામાં વૈરાગ્ય કેમ ?' એ તો ઊલટા તાજુબ પામીને ધન્યવાદ દેતા કે “અમે રોજ સાંભળવા છતાં પામી શકતા નથી અને આ એક જ દેશનામાં પામ્યો માટે મહા પુણ્યવાન ! શ્રી કૃષ્ણ મહારાજાના નાના ભાઈ શ્રી ગજસુકુમાળે દીક્ષા લીધી તે જ દિવસે કેવળજ્ઞાન અને મુક્તિ મેળવી, ત્યાં કૃષ્ણજીએ એમ ન કહ્યું કે, હું નેમનાથજીનો પરમ શ્રાવક છતાં મારું ઠેકાણું નહિ અને ગજસુકુમાળને એક જ દિવસમાં તમામ સિદ્ધિ કેમ ? ઉઘાડી વાત છે કે કૃષ્ણજી રાજ ન છોડી શક્યા માટે એમને નહિ અને ગજસુકમાળે રાજ છોડ્યું, દીક્ષા લીધી, તે જ દિવસે ગુરુઆજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં કાયોત્સર્ગ ઊભા રહ્યા, માથે માટીની પાળ બાંધી મુકાયેલા અગ્નિને સમભાવે સહ્યો તો કેવળજ્ઞાન પણ મળ્યું અને મુક્તિ પણ મળી, તો એમાં નવાઈ શી ? પાઘડી હજી કેમ ઊતરતી નથી ? જીવવિચાર વગેરે વર્ષો સુધી ભણવા છતાં એ ભણનારાઓની પાઘડી હજી કેમ ઊતરતી નથી ? ઘરબાર, કુટુંબ પરિવારનો મોહ કેમ છૂટતો નથી ? જે સાધુ વગર ભયે પણ મા-બાપ વગેરે છોડીને અહીં આવ્યા તે ઉત્તમતા વિના ? છોકરાંને રમાડી રમાડીને ઘરડા થયા છતાં એ મોહ હજી છૂટતો નથી તો જ્ઞાનના ફળની પ્રાપ્તિ ક્યારે થશે ? અહીં આવેલો ભલે ઓછું ભણેલો હોય પણ જ્ઞાનના ફળની પ્રાપ્તિ એને થઈ માટે એ વંદનિક છે જ. માત્ર સૂત્રો ગોખી નાખ્યાં અને જ્ઞાનનો ઘમંડ ધરાવે અને પછી સાધુઓ માટે ગમે તેમ પ્રમાણપત્રો ફાડે એને ભણેલા કહ્યા કોણે ? વિરતિ પ્રત્યે પ્રેમ કે બહુમાન વિનાના આવા લોકોને ભણેલા માનવા તે અજ્ઞાનતા છે. એવાને ભણેલા તરીકે માન અપાય જ નહિ.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy