________________
187
- ૨૩: સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 - ૩૪૯ જ્ઞાનનાં સાધન છે. પણ જો એ સમ્યજ્ઞાનમાં સહાયક થાય તો જ્ઞાન નહિ તો અજ્ઞાન. ઊલટું એ ભણવાથી જ જ્ઞાનાવરણીય બંધાય. સદુપયોગ માટે ભણાતો કક્કો જ્ઞાનાવરણીયનો ક્ષય કરે પણ સ્વાર્થવૃત્તિથી ભણાતો હોય તો એ જ્ઞાનાવરણીય બંધાવે એમ પ્રભુનું શાસન કહે છે. પણ આવી વાતો અમે કહીએ એટલે એ કહે છે કે “આ તો લકીરના ફકીર પુરાણપાઠી છે.' પણ એમને ખબર નથી કે “એ પુરાણપાઠ વિના તો કોઈના બાપને પણ ચાલ્યું નથી. ભગવાન શ્રી મહાવીરદેવને પણ જાણ્યા શાથી ? પુરાણપાઠથી જ ને ?' પોતાનો દોષ જમાના પર ન ઢોળોઃ
ઉત્તરગુણો વિના મૂલગુણની ખાતરી શી ? કહે છે કે “અમને ધર્મની ધગશ બહુ છે પણ જો એમ હોય તો સિદ્ધાંતને ટક્કર લાગે તેવી પ્રવૃત્તિ કેમ ? ત્યાં કહે છે કે, “એ તો જમાનો એવો છે.” હું કહું છું કે પોતાનો દોષ જમાના પર જ ઢોળો. મહાપુરુષો પ્રાણાંત કષ્ટ વચ્ચે પણ ધર્મને નથી ચૂક્યા. આચાર્યદેવ શ્રી, કાલિકસૂરિજી મહારાજાએ રાજાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “યજ્ઞમાં પાપ છે અને એનું ફળ નરક છે. માટે તું નરકમાં જવાનો છું.” રાજાએ પૂછ્યું કે, “તમે ક્યાં જશો ? સૂરિજીએ કહ્યું કે, “હું સ્વર્ગમાં જઈશ.” આ વખતે પૂજ્ય આચાર્ય ભગવંતે રાજાને સારું લાગે તેવી વાત કરીને તેને પોતાનો બનાવી લીધો હોત તો તેની પાસે બીજાં કામ કરાવી શકત ને ? પણ ઘર બાળીને તીર્થ કરવા જેવા કામની કિંમત નથી. સત્યને છુપાવીને કદી બે-પાંચ રાજાને ભક્ત પણ બનાવ્યા; પરંતુ એમાં શ્રી જૈનશાસનની શોભા શી વધી ? હા, જાતને માનપાન મળે. પણ એવાં માનપાનની ઇચ્છાવાળાએ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે પોતે ભગવાન મહાવીરનો સાધુ નથી. નોકર એકનો ને કામ બીજાનું કરવું, એ વાજબી કહેવાય ?
સભાઃ “બેયનો પગાર ખાય તો ?'
એ બેયથી ભ્રષ્ટ થાય. ધ્યેય પ્રભુમાર્ગના અનુયાયી બનાવવાનું જોઈએ, પણ પોતાના ભક્ત બનાવવાનું નહિ. વ્યાખ્યાન તમારી પાસે અમારાં વખાણ કરાવવા માટે નહિ પણ તમને પ્રભુમાર્ગના અનુયાયી બનાવવા માટે છે. જેને પોતાનાં વખાણ સાંભળવાની ઇચ્છા આવી તે ગયો સમજવો. મુનીમ ગ્રાહકને ખુશ ત્યાં સુધી રાખે કે જ્યાં સુધી શેઠની તિજોરીમાં આવક થાય. ખોટનો વેપાર એ ન જ કરે. પ્રભુમાર્ગના અનુયાયી બનીને ભક્ત બનો તો વાંધો નહિ. પણ પ્રભુમાર્ગને વિસરીને ભક્ત બનવા આવો તો “ના” કહેવી પડે. એવું ટોળું તો મારી પાડે.