________________
- 13
૩૪૮
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - એવા ભણેલા પણ સમાજ માટે શ્રાપરૂપ છેઃ
શ્રી જિનેશ્વરદેવની વાણી પ્રત્યે સમ્યગુદૃષ્ટિનો ઉપર કહી ગયા તેવો રાગ હોય. દેશવિરતિધર સર્વવિરતિ બનવા માટે અને સર્વવિરતિધર સર્વ વિરતિપણામાં તન્મય બનવા માટે એ વાણીને વિચારે. આજનાઓ કહે છે કે આ બધાની શી જરૂર ? હું કહું છું કે, “વ્યવહારમાં ચોપડાની શી જરૂર ?' તીર્થમાં માર્ગાનુસારી પણ આવે. આ શાસનમાં જ્ઞાની અને અજ્ઞાની બેય ચાલે પણ એ ભગવાનના કથન પ્રત્યે ગાઢ રાગવાળા જોઈએ. કોઈ વતન બેસે તો
ત્યાં એ પોતાની ખામી માને પણ એમ ન કહે કે, “કહ્યું, કહ્યું હવે ભગવાને ! આ જમાનામાં કોણ એ માનવાનું !” આવું બોલનારા ગમે તેવા ભણેલા હોય, ગમે તેવા ડિગ્રીધારી હોય તો પણ એ સમાજને માટે શ્રાપરૂપ છે; કશા જ કામના નથી. એ વાતો વાહિયાત છે:
ધર્મરાગ કેવો હોય ? ત્યાં કહ્યું કે જાતનો બ્રાહ્મણ હોય, ભૂખ્યો હોય, અટવી ઊતરી આવ્યો હોય અને થાકેલો હોય, તે વખતે એને ભોજનમાં સુંદર ઘેબર મળે અને એના પર જેવો રાગ થાય, એનાથી અધિક રાગ ધર્મ પર જોઈએ. દેવગુરુની વૈયાવચ્ચ વિદ્યાસાધકની જેમ કરે. સમયસર જ જાય. વિદ્યાસાધક સમય ન ચૂકે. કાળી ચૌદશે, મધ્ય રાત્રિએ સ્મશાનભૂમિમાં એકલો જાય અને કલાકો સુધી ઊભો રહે અને વિદ્યાની સાધના કરે. આ તો કરવું કંઈ નહિ અને શ્રદ્ધા છે એમ કહેવું તે ચાલે ? ને જિનપૂજા કરવી, ન ગુરુવંદન કરવું, ન શ્રી વીતરાગ ભગવાનની વાણી સાંભળવી અને શ્રી જિનેશ્વરદેવના વચન પર રુચિની વાત કરવી, દેવગુરુની ભક્તિની વાત કરવી એ વાહિયાત વાતો છે. જૈનધર્મનું તત્ત્વજ્ઞાન એ ચાવી છે :
આજે દુનિયાનું સાહિત્ય વાંચવાની ભલામણ કરવામાં આવે છે, પણ તેમને ઘરનું સાહિત્ય વાંચવામાં રસ નથી. ચાવી વિના બંધ થઈ જાય તેવાં તાળાં આવે છે. એવું તાળું બંધ કરી દો અને ચાવી ન હોય તો ઊઘડે શી રીતે ? જૈન સાહિત્યનું તત્ત્વજ્ઞાન એ ચાવી છે. એના વિના અન્ય સાહિત્યનું વાંચન કરવા જશો તો અટવાઈ જશો. તત્ત્વ હાથમાં નહિ આવે. જૈન સાહિત્ય જાણ્યા વિના બીજાની વાત હોય ? આવા ઉપદેશ અને પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં સાધુપણાની વાત કરવી કઈ રીતે ? દુનિયાનું જ્ઞાન એ સાધન છે. કક્કો, બારાખડી એ