________________
1535
૨૩ : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103
ઉત્તરગુણના સર્વથા અભાવમાં મૂલગુણ ન ટકે
ઉત્તરગુણનો સર્વથા અભાવ હોય તો એક પણ મૂલગુણ ન ટકે. મૂલગુણને દિપાવનાર, ટકાવનાર, ખીલવનાર અને વધારનાર ઉત્તરગુણો છે. જેને એ ગુણો ઉપર પ્રેમ હોય તેને ત્રિકાલપૂજાદિ ન ગમે ? જે આ ક્રિયા ન કરે તેનામાં કદાચ દર્શનરુચિ હોય તો પણ વ્યવહારથી એને મિથ્યાદ્દષ્ટિ કહી શકાય. જેને સમ્યગ્દર્શન હોય તે બાર મહિને એકવાર જિનપૂજા કરે એવું બને ? ફુરસદે અને ફાવે તો કરે એવું બને ? અને તેમ છતાં કહે કે અમને રુચિ છે તો એ મનાય કઈ રીતે ? અને એને જૈન કહેવા પણ કઈ રીતે ? જાતિથી જૈન કહેવાય ભલે પણ સાચી રીતે એ જૈન નથી. કોઈ કહે કે, ‘મને વેપાર કરવાની બહુ ઇચ્છા છે પણ દુકાન ફાવે ત્યારે અને ફાવે તો ઉઘાડું' તો એ પેઢી ચાલે ? શ્રી જિનાજ્ઞા પ્રત્યે દુર્ભાવ હોય તેનું ભણતર ધૂળ છેઃ
૩૪૭
ઉત્તરગુણો એ મૂલગુણોને દિપાવનાર, ટકાવનાર અને વધારનાર છે. ઉત્તરગુણો આઘા મૂકે તો મૂલગુણનો રાગ નાશ પામે. આ બધી વસ્તુ પરિણામ પમાડવા સમ્યગ્દર્શનમાં દઢતા, રૂંઢતા, ગાઢતા અને અવગાઢતા જોઈએ. સમ્યષ્ટિ માટે પણ ત્રણ ક્રિયા કહી. શુશ્રુષા, ધર્મરાગ અને દેવ-ગુરુની વૈયાવચ્ચ. શુશ્રુષા એટલે શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળવાની ઇચ્છા એ કેવી હોય ?
‘તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુર ગીત;
તેહથી રાગે અતિ ઘણે રે,
ધર્મ સૂણ્યાની રીત રે, પ્રાણી, ધરીએ સમકિત રંગ...૧’
આજ તો કહે છે કે આ જમાનામાં આ શાસ્ત્ર ન ચાલે. ભગવાન તો સાડી ચોવીસસો વર્ષ પહેલાં થયા. એમનું કહેલું આજે કેમ ચાલે ? આજે તો કોઈ કોઈ સાંધુઓ પણ બોલે છે કે ‘આ શાસ્ત્રો આજે શું કરવાનાં ? દુનિયાનું જ્ઞાન ભણો. શાસ્ત્રોની ઝીણી ઝીણી વાતો આ જમાનામાં ન ચાલે. જમાનો વીજળીવેગે આગળ વધી રહ્યો છે. પૃથ્વીકાય, અપ્લાય આદિની વાતો આ જમાનામાં ન . હોય. વાસી, વિદળ, ભક્ષ્ય, અભક્ષ્યની પંચાત આ યુગમાં નકામી છે.’ આવું બોલનારા સાધુ કે શ્રાવક જે હોય તેમને શ્રી જૈન સંઘથી બહા૨ ક૨વા જેવા છે. અજ્ઞાનને ઘનિષ્ઠ બનાવવાની તેમની પ્રવૃત્તિ છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે દુર્ભાવ આવ્યો. તે ગમે તેટલું ભણ્યો હોય તો પણ એનું ભણતર ધૂળ છે.