SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો 102 લણે ને કરે તેવું પામે.’ વર્તમાન સ૨કા૨ પણ ચોરી કરનારને હાથકડી પહેરાવે છે, એનાં મા-બાપને નહિ. પેલો કહે કે મને તો મા-બાપે મોકલ્યો હતો, તો પણ કડી તો એને જ પહેરવી પડે. જ્યાંથી મુદ્દો મળે એને જ સજા ભોગવવી પડે. ખૂન ક૨ના૨ને જ ફાંસી મળે, બીજાને નહિ. મેલ ચીકણા કાપડને લાગે, કોરાને નહિ. કર્મસત્તાને અર્થાત્ કર્મના હુકમને માનો છો કે નહિ ? આર્યદેશમાં જન્મેલા કર્મને ન માને ? એક સલામો ઝીલે ને બીજાને સલામો ભ૨વી પડે, એક વક્તા ને એક શ્રોતા, એક માલિક ને એક નોક૨, એક બાપ ને એક દીકરો, એક પતિ ને એક પત્ની, એક રાજા ને એક ટ્રંક, એક ધોનારો ને એક ધોવરાવનારો, એક ખાનારો ને એક ખવરાવનારો, આ બધા ભેદ કર્મસત્તાના નથી ? આવી પ્રત્યક્ષ વાત માનવામાં પણ વાંધો નથી ? બાપને બાપ કહેવા જ પડે. ત્યાં એમ ન કહેવાય કે ‘હું બાપ કેમ નહિ ?' કર્મસત્તા માન્યા વિના છૂટકો જ નથી. જેઓ ઈશ્વરને કર્તા માને છે તેમને પણ એમ તો સ્વીકારવું પડે છે કે ‘ઈશ્વર કહે છે કે સંચિત કર્મ ભોગવ્યા સિવાય કોઈના પી૨નો પણ છૂટકો થતો નથી.' શ્રી રામચંદ્રજીને વનવાસ ભોગવવો પડ્યો એ વાત એમણે પણ કરી છે ને ? 1531 ૩૪૩ અર્થકામના પ્રયત્નમાં જય ભાગ્યાધીન : મુદ્દો એ છે કે સંતોષનું સુખ સ્વાધીન છે. બહારની ચીજોનું સુખ પરાધીન છે, ભાગ્યાધીન છે. સમ્યદૃષ્ટિ માટે ઉદ્યમની પ્રધાનતા કહી છે. કેમ કે એનો પ્રયત્ન કેવળ મોક્ષ માટે છે, જેની સફળતા નિશ્ચિત અને આત્માને સ્વાધીન છે. રાવણ સમર્થ હતો પણ એનો પ્રયત્ન નિષ્ફળ ગયો, કારણ કે અર્થકામના પ્રયત્નમાં જય ભાગ્યાધીન છે. શ્રી રામચંદ્રજીના જયમાં પણ ભાગ્યની જ પ્રધાનતા; પ્રયત્ન તો અકિંચિત્કર. શ્રી જિનેશ્વરદેવો એમના પ્રયત્નમાં કદી નિષ્ફળ ન થયા: કેમ કે એમનો પ્રયત્ન મોક્ષ માટે હતો. એક ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળમાં ચક્રવર્તી બાર જ થાય, તેરમો ન જ થાય, શ્રી જિનેશ્વરદેવ ચોવીસ જ અને કેવલી અસંખ્યાતા થાય એનું કારણ ? ચક્રવર્તી થવાનો પ્રયત્ન તો બધા કરે પણ એ થવું ભાગ્યાધીન છે. કોણિક થવા ગયો તો મોતને ભેટ્યો. શ્રી સીતાજીને કલંક આવ્યું તે ભોગવવું જ પડ્યું. શ્રી રામચંદ્રજીનાં એ રાણી હતાં, બધી રાણીઓમાં મુખ્ય એ પટ્ટરાણી હતાં, સૌમાં માનીતાં હતાં, મોટાં સતી હતાં, પતિનો પણ પ્રેમ પૂરો હતો. છતાં કર્મે એને જંગલમાં ધકેલ્યાં ને ? કર્મસત્તાના પરિણામથી ન તો એમને શ્રી રામચંદ્રજીએ બચાવ્યાં કે ન રાવણને મારનાર સમર્થ એવા લક્ષ્મણે બચાવ્યાં.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy