________________
૩૪૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1530 હોટલો કરી શા માટે ? નાટક અને સિનેમાઘરો ખુલ્લો મૂક્યાં છે માટે જઈએ છીએ.” આ એક પ્રકારની કુટેવ છે. શ્રી કુમારપાળ મહારાજાએ તો સાતેય વ્યસનનાં પૂતળાં બનાવી તેને ગધેડે બેસાડી હદપાર કર્યા હતાં;' છતાં એમને પણ ગાળો દેનારા હતા ને ? હોય જ. દરેક કાળમાં એવા અયોગ્ય માણસો હોય તો પછી આજે હોય એમાં કાંઈ નવાઈ છે ? વેપારી સંતોષી બન્યા હોત તો આજનો સટ્ટો વેપારમાં ખપત ? ચોવીસે કલાક જેમાં અશાંતિ રહે એ સટ્ટો વેપાર ન ગણાત. સંતોષી તો કહે કે ભલે મોટર ન મળે, જે મળે તે ખાઈશું પણ વેપાર તો બે-ચાર કલાક પૂરતો સંતોષપૂર્વકનો જ હોય. કર્મસત્તા માવ્યા વિના છૂટકો નથી ?
આજે તો સટ્ટો એ વેપાર ગણાય છે. ચુમ્મોતેરની સાલમાં (વિ.સં. ૧૯૭૪) લડાઈના મામલામાં વેપારીઓ અને સટોડિયાઓ ભળતા પૈસા કમાયા અને આંખો મીંચીને ખાનપાન ને મોજશોખના ખર્ચા વધાર્યા. એ ન વધાર્યા હોત તો આજે આટલી બેકારીની બૂમો ન હોત. તે વખતે એ બાપનો માલ માન્યો, “આવેલું શા માટે છોડીએ ? મળેલું કેમ ન ભોગવીએ ?' એમ ઉન્મત્ત પ્રલાપ કર્યા, તો હવે પોક પણ મૂકવી પડે. એ વખતે ભાનભૂલા કેમ બન્યા ? જરા વિચારક અને ડાહ્યા બનવું હતું ને ? બુદ્ધિ ઠેકાણે રાખી હોત તો આ દિવસો ન આવત. ચાર દિવસ પહેલાંનો દરિદ્રી એકાએક કોટિપતિ થાય અને એ વખતે માણસ મટી પાગલ બને તો પાછો ભિખારી બને ત્યારે રોવું પડે એમાં નવાઈ શી ? તમે પોતે નીતિમાન બનો. અન્યાય, અનીતિ, અધર્મ આદિને રજા આપો તો કોઈની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. કદી પૂર્વનો અશુભોદય આવે તો પ્રેમથી ભેટી લો. આવો અનુભવ તો કરો ! એમાંયે મઝા છે. બાંધીને આવેલું ભોગવ્યા વિના છૂટકો છે ? નહિ જ. શાસ્ત્ર પંદર કર્માદાનની ના પાડી છતાં મિલો કેમ ખોલી ?
સભાઃ “હુન્નર ઉદ્યોગ વધે અને બધાને કાપડ મળે માટે !”
પછી પાપ કોણ ભોગવશે ? જેનો દુનિયાની સાહ્યબી ભોગવવામાં હિસ્સો છે તેનો પાપનાં ફળ ભોગવવામાં હિસ્સો નહિ ? ભોગ ભોગવો તમે અને પાપ ભોગવે બીજા એમ ? સભાઃ “આજે એવી પણ માન્યતા ધરાવનાર છે. દુનિયાના પાપનો પોતે
સ્વીકાર કરી લે એવા બહાદુરો પણ છે.” કોઈ ગમાર એવા હોય તો ભલે. બાકી તો લોક પણ બોલે છે કે “વાવે તેવું