________________
1527 - ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 - ૩૩૯ સંયમ હણાય એવા ક્ષેત્રમાં સાધુને જવાની મના :
પોતાને જે ચીજ સારી લાગે તે કરાય, બીજાને એ કરવા માટે સમજાવાય પણ કોઈ ન કરે તેની સાથે મારામારી કરવા ન જવાય. ડાહ્યા માણસોની સભા ભેગી થઈ હોય ત્યારે ચાર તોફાનીઓ એક ખૂણે ભેગા થઈ ખટપટ કરતા હોય તો તેના તરફ લક્ષ આપવા જાય તો ટાઇમ પૂરો થઈ જાય ને કામ રહી જાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવ અયોગ્યની સાથે ચર્ચામાં ઊતર્યા હોત તો યોગ્ય જીવોને તારવાનો તેમને સમય જ ન રહ્યો હોત. ભગવાનને કેવળજ્ઞાન તો ઋજુવાલિકા નદીને તીરે થયું હતું. પરંતુ ત્યાં તો કલ્પ સાચવવા પૂરતી ક્ષણભર દેશના કરીને તરત ત્યાંથી ચાલી નીકળ્યા અને ખરી દેશના તો અપાપાનગરીએ આવીને આપી. “જ્યાં કેવળજ્ઞાન થાય ત્યાં જ બધા તીર્થકરો દેશના દે છે તો હું પણ કેમ ન દઉં !” એવી હઠ એમણે ન કરી. જ્ઞાની એવી હઠ કરે ? ત્યાં પણ હજારો મનુષ્યો હતા. પણ ધર્મને માટે અયોગ્ય જોવા માટે ભગવાને ત્યાં દેશના ન દીધી. એમને તો હવે તીર્થ સ્થાપવાનું હતું, એ માટે લાયક જીવો જ્યાં જોયા તે તરફ તરત પ્રભુ ચાલી નીકળ્યા.
સભાઃ “સાધુ અયોગ્ય ક્ષેત્રમાં ન જાય ?'
જાણતા હોય તો ન જાય. ભૂલથી જઈ ચડ્યા હોય ને ક્ષેત્ર સંયમને માટે અયોગ્ય જણાય તો ભરચોમાસે વરસાદની ઝડીઓ વરસતી હોય તો પણ ત્યાંથી વિહાર કરવાની છૂટ છે. સંયમ હણાય એવા ક્ષેત્રમાં સાધુને જવાની મનાઈ છે. પૂર્વાચાર્યોએ અનેક દેશોને વિહાર માટે અયોગ્ય ઠરાવ્યા હતા. સંયમનો પરાભવ થાય તેવા દેશમાં વિહાર કરવાની મનાઈ છે અને જ્યાં સંયમ સચવાય એવા દેશમાં જ વિહાર કરવાની સાધુને છૂટ છે, પોતાનો આત્મા હણાય એવો ઉપકાર કરવાની શાસ્ત્ર મના કરી છે. જ્ઞાની કદી ખોટી હઠ ન કરે?
ભગવાનમાં તો અનંત શક્તિ હતી ને ? એ પોતે અનાર્યદેશમાં કેમ ન ગયા ? રાજગૃહીમાં ભગવાનના ચૌદ ચોમાસા થયા. આટલાં બધાં ગામો છતાં
ત્યાં જ આટલાં બધાં ચોમાસા કેમ ? સંપ્રતિ મહારાજાએ અનાર્ય ક્ષેત્રોમાં પહેલાં યોગ્ય તૈયારી કરી ત્યાર બાદ ત્યાં પધારવા માટે આચાર્ય ભગવંતને વિનંતી કરી છે. ભગવાન શ્રી મહાવીરદેવ પણ અયોગ્યને ન સમજાવે તો આપણાથી એવી હઠ થાય ? ન જ થાય. અનંત શક્તિના સ્વામી એવા ભગવાન પણ એ ન કરી શકે તો અમે કોણ ? ભગવાન શ્રી મહાવીર દેવે એવી હઠ ન કરી કે જ્યાં