SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1526 એવી હાલત થઈ જાય. યોગ્ય આત્મા માટે કાનપટ્ટી પકડવાની પણ છૂટ છે પણ બધા માટે નહિ. સામાન્ય રીતે તો મુનિને ઉપદેશની જ આજ્ઞા, આદેશની નહિ; આદેશનો તો નિષેધ છે. જો હિતના ઉપદેશની આજ્ઞા છે તો આદેશની કેમ નહિ ? એવા પ્રશ્ન કોઈને થાય પરંતુ આદેશમાં તો ઘણા વાંધા છે. સભાઃ “તો પછી યુવક સંઘવાળાને સુધારવાની મહેનત ન હોય ને ?' - જેઓ અયોગ્ય છે એમને સુધારવા આ કહેવાતું જ નથી પણ તમે અયોગ્યના સંસર્ગમાં ન ફસાઓ માટે જ કહેવાય છે અને ચેતવાય છે. મિથ્યાત્વનું ખંડન દુનિયા માટે નથી. પણ સમ્યગ્દષ્ટિઓને સ્થિર કરવા માટે છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે પ્રભુનો વરઘોડો ત્રણ હેતુ માટે છે. મહાધર્મીઓને મોટી નિર્જરા માટે. ચલાયમાન થાય તેવા ધર્મીઓને સ્થિર કરવા માટે - અને:. ભદ્રિક આત્માઓને ધર્માભિમુખ કરવા માટે છે; પણ નિંદકોને નિંદા કરવા માટે ધર્મીઓ વરઘોડો નથી કાઢતા, છતાં એ નિંદા કરે તો એ પાપ એને શિરે. આજના લોકો અવળે બાઝનારા છે. એ કહે છે કે “વરઘોડો ન કાઢ્યો હોત તો નિંદા ન કરત ને ?” સાધુ ગામમાં આવે ત્યારે સંઘ પ્રવેશ મહોત્સવ શા માટે કરે ? ગુરુદર્શનથી અનેક ભવ્યાત્માઓ કર્મક્ષય કરે, ચલધર્મીઓ એ મહિમા દેખીને ધર્મમાં સ્થિર થાય અને ભદ્રિક આત્માઓ ધર્માભિમુખ થાય; પણ એમાંયે કાળા વાવટા લઈને સામે આવનારા નીકળે એને શું કરીએ ? સભા: ‘એ કાળા વાવટાની કાળાશ કોને વળગે ?' એ કોને વળગે તે તમે જ વિચારી લો, મને ન પૂછો. નવકારશી કરનાર સારામાં સારું જમણ જમાડે પણ રોગી જમનારો પોતાના શરીરની દરકાર રાખ્યા વિના ભાન ભૂલીને જમે, આંખો મીંચીને જે આવ્યું તે ઝાપટે, પછી ઝાડા થાય, માંદો પડે, તાવ આવે, પગ તૂટે, કમ્મર ફાટે, બેચેની થાય અને પથારીમાં પડે તો એનો વાંક જમાડનારના શિરે ? જમાડનારની સામે નોટિસ કાઢી ફરિયાદ માંડે કે એણે જમાડવા નોતર્યો માટે માંદો પડ્યો તો એ ફરિયાદ ચાલે કે પોતે બેવકૂફમાં ખપે ? દાતાર દાન દે ને કૃપણ પાડોશી પેટ ફૂટે તો પેલો દાન દેવાનું બંધ કરે ? આજના લોકો પોતાનો દોષ સારી ચીજ પર ઢોળે છે. સારી ચીજને કદરૂપી તરીકે ઓળખાવવા જેટલી નીચી કક્ષાએ પહોંચી ગયા છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy