________________
૩૩૨
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1520 જ્ઞાન આપવાનો અધિકાર પણ નથી. કેવળ સ્વાર્થ માટે ભણનારા તો દુનિયાને શ્રાપરૂપ છે, એમ જૈનશાસન માને છે; કારણ કે પોતાના સ્વાર્થ માટે બીજાને ગમે તેટલું પણ નુકસાન પહોંચાડતાં એ અચકાતા નથી, માટે તેમનું જ્ઞાન એ અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે. ધોળે દિવસે લોકોની આંખમાં ધૂળ નાંખી લૂંટ ચલાવવાની કે એકના ચાર કરવાની લાલચ બતાવી છેતરપિંડી કરવાની કળા ભણનારા પરિણામ શું લાવે ? એ પોતાની મેળે એવું ભણતો હોય તો એ જાણે પણ ભણાવનાર બીજાને ભણાવે શા માટે, એ નક્કી કરો. બીજાને જ્ઞાનદાન આપવાનો હેતુ બતાવો. ભણીને સારાયે જગતને એ આશીર્વાદરૂપ થાય એ જ જ્ઞાનદાન પાછળનો હેતુ છે અને મોટે ભાગે એ જ હેતુ આગળ ધરવામાં આવે છે. મળેલી લબ્ધિઓનો ઉપયોગ શો ?
કુટુંબ પરિવારનું ભરણપોષણ કરવું એ જુદી ચીજ છે ને ઘર ભરવું એ જુદી ચીજ છે. પોષણ કરવું એ તો ભણેલા માટે સામાન્ય વાત છે. ભણેલો ધાર્યું કામ કરી શકે માટે જગતને લાભકર્તા બને એ જ જ્ઞાનદાન પાછળનો હેતુ છે. જ્ઞાનદાન કોને દેવાય તે નક્કી કરો. કેવળ કાયકષ્ટથી લબ્ધિઓ નથી મળતી. પણ સંતોષપૂર્વક મોક્ષમાર્ગની ક્રમસર આરાધના કરવાથી મળે છે. લબ્ધિધરો પોતાને લબ્ધિ મળ્યાનું કોઈને કદી કહેતા નથી અને મળેલી લબ્ધિનો ઉપયોગ જાત માટે કદી કરતા નથી. કેવળ સંઘના હિત માટે, શાસનની પ્રભાવના માટે કે ધર્મના સંરક્ષણ માટે જ તેઓ લબ્ધિનો ઉપયોગ કરે છે. સંતોષરૂપી નંદનવનમાં મહાલે તેને જ આ લબ્ધિઓ મળી શકે છે. એવી લબ્ધિઓ વડે આ નંદનવન અતિ મનોહર છે. સુગંધીના સ્થાને શીલઃ
હવે મગજને તર કરનારી સુગંધીના સ્થાને આ નંદનવનમાં શીલ છે. એ શીલરૂપી સુગંધી એવી જોઈએ કે જે અન્યને પણ સુગંધી આપે. બગીચાની ખુબૂ એવી હોય કે બહાર નીકળ્યા પછી પણ અમુક સમય સુધી એનો અનુભવ થયા કરે. શીલ તો એવું જોઈએ કે સારા જગતને સુવાસિત કરે. શીલ અર્થાત્ સદાચારઃ
અહીં શીલ એટલે બ્રહ્મચર્ય જ એમ નહિ પણ શીલ એટલે સદાચાર એમ સમજવું. સ્પર્શેન્દ્રિયનો વિષય ઘણો ભયંકર છે માટે શીલનો રૂઢ અર્થ બ્રહ્મચર્ય અર્થાત્ સ્ત્રીસંગનો ત્યાગ એવો કર્યો. બ્રહ્મચર્યનો વ્યુત્પત્તિ અર્થ તો ત્રણ તે