________________
૩૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1518
ઇચ્છા માત્રનો અભાવ એ જ સંતોષ :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘની મેરૂ સાથે સરખામણી કરતાં પીઠ, મેખલા અને કૂટ સાથે સરખામણી કર્યા બાદ હવે નંદનવન સાથે સરખાવે છે. શ્રીસંઘરૂપ મેરૂનું નંદનવન સંતોષ છે. એ નંદનવનનો આનંદ સંપૂર્ણ રીતે સાધુઓ જ લૂંટી શકે છે. સંતોષ એ એવી વસ્તુ છે કે મુક્તિમાં ગયા પહેલાં જ મુક્તિસુખનો અનુભવ કરાવે છે, એનો સ્પષ્ટ ખ્યાલ કરાવે છે, છેવટ એની ઝાંખી તો કરાવે જ છે. સ્તોમાં જે સુખ અનુભવાય છે તે જ સુખ મોક્ષમાં છે, પરંતુ ત્યાં એ સંપૂર્ણપણે છે. કેમ કે કોઈ પણ પ્રકારની મલિનતાનો ત્યાં એક પણ હેતુ રહ્યો નથી. ઇચ્છા માત્રનો અભાવ, જડના સંસર્ગ માત્રનો અભાવ, એ જ સંતોષ. જડના સંસર્ગના યોગે જન્મતી તૃષ્ણાને રોકવી એ જ સંતોષ. એ સંતોષ પૂર્ણ કોટિએ પહોંચે ત્યારે મુક્તિ. જડના સંસર્ગની ઇચ્છા ઘટે નહિ ત્યાં સુધી અશુભ ધ્યાન જાય નહિ ને શુભ ધ્યાન આવે નહિ. જડના સંસર્ગની આશામાં આર્દ્રધ્યાન ને રૌદ્રધ્યાન છે. એના અભાવમાં ધર્મધ્યાન અને પછી શુક્લધ્યાન છે. દુનિયાના પદાર્થોની ઇચ્છા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ અનુપમ સુખ મળતું જાય. સંતોષનું સુખ સ્વાધીન છે
પરાધીન વસ્તુ મેળવવાની ઝંખનાથી, ન મળે તો રોવાથી કે ગભરાવાથી સુખ કદી મળતું નથી. સંતોષનું સુખ સ્વાધીન છે. જ્યારે દુનિયાનું સુખ પરાધીન છે. પારકા પાસેથી મંળનાર સુખનો આધાર એની મહેરબાની પર છે. દુનિયાની એક પણ ચીજ એવી નથી કે જે સ્થિર હોય, એકસરખી રહેવાની હોય, એમાં ફેરફાર થવાનો ન હોય અને કેવળ સુખ આપનારી હોય. એમાં પલટો આવે કે સુખમાં પલટો થાય જ. મોક્ષસુખ સ્વાધીન છે અને તે સંતોષરૂપી નંદનવનમાંથી આંશિક પ્રાપ્ત થાય છે.
જે સંતોષથી ભાગે એનાથી સુખ ભાગે ઃ
જે સંતોષમાં ઝીલે, મુક્તિને આરાધે તે સુખ પામે. જે સંતોષથી ભાગે એનાથી સુખ પણ ભાગે. સંતોષરૂપી નંદનવનનો આનંદ સંપૂર્ણ રીતે મુનિઓ લઈ શકે છે, કેમ કે એ એમાં રહી શકે છે. દુનિયામાં બાગબગીચામાં હરવાફરવાનો આનંદ કોણ લઈ શકે છે ? જેમને ઉપાધિ ન હોય તે. ખાનપાનની સામગ્રી ભરપૂર હોય, ધંધા પાણીની ચિંતાનો બોજ ન હોય, એવા સુખી માણસો નિરાંતે બગીચામાં ફ૨વા હ૨વા જઈ શકે. ઘરમાં ખાવાનાં ફાંફાં હોય, હૈયામાં ચિંતાની લ્હાય લાગી હોય તે બગીચામાં ફરવા જઈ શકે ?