________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
હવે આપણે મૂળ વાત ઉપર આવો. દાનનું કારણ લક્ષ્મી નથી અને શીલનું કારણ શરીરબળ નથી, એના દૃષ્ટાંત તરીકે આપણે સીતાજી અને રાવણને યાદ કર્યાં. સીતાજીએ કેવું શીલ પાળ્યું ? અને રાવણની કઈ દશા હતી ? એ જ રીતે તપ પણ મજબૂત શરીરવાળો જ કરે છે એવું નથી. મજબૂત શરીરવાળા કાંઈ નથી કરતા અને સૂકલકડી શરીરવાળા છટ્ઠ, અઠ્ઠમ આદિ કર્યા જ કરે છે. પેલાને તો સંવત્સરીનો તપ શરમથી કરવો પડે તેમાંયે ઘણી મૂંઝવણ થાય છે.
સભા : નબળા વિકારને આધીન ઝટ થાય ને ?’
૧૪
1202
એ વ્યાખ્યા ખોટી છે. ઇંદ્રિયોને આધીન હોય તે વિકારને આધીન થાય. ઉત્તમ ભાવના જાડા શરીવાળાને જ આવે એવું નથી. જ્ઞાનીએ કહેલી વાત પર શ્રદ્ધા ધરાવનાર, પુણ્ય-પાપ-સ્વર્ગ-નરકની આસ્થાવાળાને સારી ભાવના
આવે.
સભા ઇંદ્રિયોની આધીનતા અને ઇંદ્રિયોનો નિગ્રહ એ બેમાં કુદરત સામે
બળવો કોને કહેવાય ?
મહાસુખભાઈએ કહેલી આ વાત છે. અહીં તમે કુદરત કોને કહો છો ? એ તો કહે છે કે બાળપણમાં ૨મવું, જુવાનીમાં વિષયસેવન કરવું, પ્રૌઢાવસ્થામાં છોકરાં સાચવવાં અને વૃદ્ધપણામાં લાળ કાઢવી એ ધર્મ, એ કુદરત. મરતી વખતે હાથપગ ઘસતા ઘસતા મરવું અને પછી લાકડામાં સળગી મરવું એ કુદરત, અને એ બધાથી વિપરીત કરવું એ બળવો. સંયમપૂર્વક જીવન જીવવું અને મરણ વખતે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં મરવું એને એ કુદરત સામેનો બળવો કહે છે. એ બળવો અમને મંજૂર છે.
સભા ‘કુદરત એટલે શું ?’
એ ‘કર્મ’નો પર્યાયવાચી શબ્દ છે.
ખરી વાત એ છે કે એમને નારકીની શ્રદ્ધા નથી. બાકી એમને દુઃખનો ડર
નથી એમ ન માનો. એવાને ઓળખાવનારા તો મહાઉપકારીઓ છે.
શાસ્ત્રકાર શ્રી ચિત્રકૂટો વિષે શું વર્ણન કરે છે તે હવે પછી.