________________
1515
- ૨૧ : સંતોષી નર સદા સુખી - 101
-
૩૨૭
વસ્તુતઃ તેઓ કોઈને માનતા જ નથી ?
હવે તેમના જે દેશનેતાની તેઓ આટલી મહત્તા ગાય છે તે શું કહે છે ? એમણે જાહેર કર્યું છે કે આ લડત શરૂ થયા પછી ભણનાર વિદ્યાર્થીઓ, કૉલેજિયનો, વકીલો અને વૈપારીઓ, જો સ્કૂલ, કૉલેજ, કોર્ટ કે દુકાન ન છોડે તો તેઓ દેશદ્રોહીઓ છે. હવે વિચારો કે દ્રોહી કોણ ? અમે તો સ્કૂલ, કૉલેજમાં જતા નથી, વેપાર ધંધા કરતા નથી અને કોઈ ખેંચી ન જાય તો કોર્ટનાં પગથિયાં ચડતા નથી. અમે જો કોર્ટે જતા હોત તો આવું ખોટું લખનારાને ભારે પડત. પણ એ ખટપટમાં અમે પડતા નથી. હવે જેઓ દેશના નામે મોટી મોટી વાતો કરે છે, તેમનાં જીવન તપાસો. ભગવાન મહાવીરને ન માને તો એ જાણે પણ જેમને માને છે, જેમના નામે મોટી મોટી વાતો કરે છે, તેમના આદેશોને તો અમલમાં મૂકે ને ? પણ ના. વસ્તુતઃ તેઓ કોઈને માનતા જ નથી. તેમની વાતો એ તો નર્યો દંભ છે. * . દેશદ્રોહીનો ઇલ્કાબ કોના માટે
એ લોકો કોલેજોની પુષ્ટિ કરી રહ્યા છે, જ્યારે એમના નેતા તેમ કરવાની ના પાડે છે. હિંસા કરી ડૉક્ટરી લાઇન વિકસાવી રહ્યા છે, જ્યારે એમના નેતા રાજકીય પ્રવૃત્તિમાં પણ હિંસાની ના પાડે છે. જેના નામે વાતો કરે છે તેના કહેવાથી વિપરીત વર્તન કરે છે. કોર્ટમાં ગયા વગર રહેતા નથી, રાજ્યનાં ખાતાંઓને નભાવે છે, કારખાનાંઓ ખોલાવે છે અને પાછા દેશભક્તિનો દાવો કરે છે. કેવળ વાતો કરવા સિવાય દેશ ખાતર કશો ભોગ નહિ આપનારા એ બધા તો દેશ જ્યારે સ્વતંત્ર બને ત્યારે પણ દેશદ્રોહીનો ઇક્લાબ મેળવવાના અધિકારી ગણાશે. આપણે તો કહી શકીએ છીએ કે, “અમે ધર્મક્રિયામાં રક્ત હતા, દેશની અને વિશ્વની શાંતિ માટે દર પખ્ખીએ દેશ, રાજ, પુર બધાને શાંતિર્ભવત'ના પાઠથી શાંતિ ઇચ્છતા હતા, દુનિયાભરને માટે શાંતિની પ્રાર્થના અમારી ચાલુ જ હતી” એટલે દેશ તથા દુનિયા માટે આપણી પ્રવૃત્તિ તો ઉપકારક જ છે. ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ ઃ
આજની હિલચાલમાં અંગ્રેજી શિક્ષણ છોડવાનું કહેવામાં આવે છે. જ્યારે આપણે તો આરંભ-સમારંભ વધારે એવા શિક્ષણનો પહેલેથી જ વિરોધ કરતા આવ્યા છીએ. “મહાવીર વિદ્યાલયનો વિરોધ કેમ કરો છો ?” એવું હવે એમનાથી પુછાય તેમ નથી. રાજકીય પ્રવૃત્તિમાં હિંસાનો નિષેધ થાય છે ત્યાં